________________
કેન્દ્રબિંદુને લક્ષ્ય કરીને તમે અનુપ્રેક્ષા શરૂ કરો. તમારું મન પવિત્ર થશે. કર્મોના બંધનમાંથી તમે બચી જશો. આત્મભાવ નિર્મળ થશે. દરરોજ આ બાર પ્રકારની અનુપ્રેક્ષા કરતા રહેવાનું છે.
હવે ૨૨ પરીષહો બતાવું. આ વિશેષ રૂપે સાધુ-સાધ્વી માટે “સંવરના શ્રેષ્ઠ ઉપાયો છે. આસવોને રોકવા માટેનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ૨૨ પરીષહો:
પહેલાં રર પરીષહોનાં નામ સાંભળી લો - સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દેશમશક, અચલ, અરતિ, સ્ત્રી, ચય, નૈષધિથી, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન - આ ૨૨ પરીષહો છે.
સુધા પરીષહ ક્ષુધા સમાન કોઈ વેદના નથી. તપસ્વી મુનિભૂખ લાગતાંય ફળ ઈત્યાદિ તોડતો નથી. બીજાં પાસે તોડાવતો નથી...અનુમોદના પણ કરતો નથી. સુધા લાગવા છતાં પણ સાધુ નવકોટિ શુદ્ધ આહારની જ ઈચ્છા રાખે છે. અત્યંત કૃશ શરીરવાળો સાધુ, ચિત્તની આકુળતાથી રહિત થઈને સંયમ માર્ગે વિચરતો રહે
છે.
'પિપાસા તૃષાની ભલેને ગમે તેવી વેદના હોય, તો પણ સ્વીકૃત મર્યાદાની વિપરીત પાણી ન વાપરતાં સમભાવપૂર્વક વેદનાને સહન કરવી.
શીત યા ઉષ્ણ: ઠંડી યા તો ગરમીથી ભલેને ગમે તેવાં કષ્ટ પડે, તો પણ તેમના નિવારણ અર્થે કોઈ પણ અકથ્ય વસ્તુનું સેવન ન કરીને સમભાવપૂર્વક એ વેદનાઓને સહન કરવી.
દેશમશક : ડાંસ, મચ્છર આદિ જંતુઓના ઉપદ્રવોને ખિન થયા સિવાય સમભાવપૂર્વક સહન કરવા. નગ્નતા (અચેલ) નગ્નતાને સમભાવપૂર્વક સહન કરવી.
અરતિ અંગીકૃત માર્ગમાં અનેક મુશ્કેલીઓને કારણે અરુચિનો પ્રસંગ આવતાં એ સમયે અરુચિ ન લાવતાં એમાં ઘેર્યપૂર્વક સ્વસ્થ રહેવું.
સ્ત્રી પુરુષ સાધકે પોતાની સાધનામાં વિજાતીય આકર્ષણ પ્રત્યે લલચાવું ન જોઈએ. એવી રીતે સ્ત્રી સાધિકાએ પુરુષ પ્રત્યેના ખેંચાણથી બચવાનું છે.
ચય સ્વીત ધર્મ જીવનને પુષ્ટ રાખવા માટે અસંગ થઈને ભિન્ન ભિન્ન સ્થાનોમાં વિહાર કરવો અને કોઈ પણ એક સ્થાનમાં નિયતવાસ કરવો ન જોઈએ. પદયાત્રા ચાલુ રહેવી જોઈએ.
નધિક સાધનાને અનુકૂળ, એકાંત સ્થાનમાં મર્યાદિત સમય સુધી આસન [ સંવર ભાવના |
| ૧૪૯]
સંવર ભાવના
૧૪૯