________________
સંસારમાં કોઈ બચાવનાર નથી. જીવ અશરણ છે.” - એ રીતે અશરણતાનું ચિંતન કરતા રહેવું જોઈએ.
એકત્વઃ “હું એકલો જ છું. એકલો જ ઉત્પન્ન થાઉં છું. સુખદુઃખનો અનુભવ પણ એકલો જ કરું છું અને એકલો જમરું છું.” - આ રીતે દિનપ્રતિદિન ચિંતન કરવું જોઈએ.
અન્યત્વઃ “હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવસંપત્તિથી અને શરીરથી જુદો છું, એમાં મારું કશું જ નથી.” વારંવાર આ વાતનું રટણ કરવાનું છે.
અશુચિતા: “આ શરીર બીભત્સ પદાર્થોથી ભરેલું છે - શરીરમાં બધું જ અપવિત્ર અને ગંદકી ભરેલી છે.” આ રીતે શરીરની અપવિત્રતાની બાબતમાં વિચારવાનું છે.
સંસારઃ “આ શરીરના સંબંધો પરિવર્તનશીલ છે. માતા મરીને બેટી બને છે, બહેન બને છે, પત્ની બને છે. સંસારની પરિવર્તનશીલતાનું ચિંતન કરતા રહો.
આસવઃ “મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગ અને પ્રમાદના દરવાજાઓમાંથી કર્મ આત્મામાં વહી આવે છે. આત્મા કમોથી બંધાય છે.” - આ રીતે આસવની અનુપ્રેક્ષા કરતા રહો.
સંવરઃ “આસવોના દ્વારોને સમ્યક્ત, વિરતિ, ક્ષમાદિ ધર્મ અપ્રમાદ આદિ દ્વારા બંધ કરી દઉં, તો કર્મ આત્મામાં આવતાં અટકી જશે.” આ રીતે સંવરના વિષયમાં વિચારતા રહો. - નિર્જરાઃ “આસવ-દ્વારોને બંધ કર્યા પછી આત્મામાં રહેલાં કર્મોનો નાશ કરવા માટે તપશ્ચર્યા કરું.” એવી ભાવનાની સાથે બાર પ્રકારનાં તપ કરવાં જોઈએ. કર્મોને. નષ્ટ કરવા માટે ત્યાગતપ-ધ્યાનની આરાધના કરો.
લોકવિસ્તાર આ અનુપ્રેક્ષામાં ચૌદ રાજલોકનું ચિંતન કરવાનું છે. ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં આપણા જીવે કેવાં અને કેટલાં જન્મ-મરણ કયાં, એ વિષયમાં વિસ્તૃત અનુપ્રેક્ષા કરતા રહો.
ધર્મચિંતન ભવ્ય જીવોના ઉપકાર માટે સર્વજ્ઞ પરમાત્માએ કેટલો નિર્દોષ અને પરિપૂર્ણ ધર્મ બતાવ્યો છે, એનું હૃદયસ્પર્શી ચિંતન કરતા રહેવાનું છે.
બોધિદુર્લભતા મનુષ્યજન્મ, કર્મભૂમિ, આદિશ, ઉચ્ચકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા - આ બધું મળવા છતાં પણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તે વિષયની અનુપ્રેક્ષા કરતા રહો.
શુભ-પવિત્ર વિચાર-અનુપ્રેક્ષા કરવાનાં આ બાર કેન્દ્રબિંદુ છે. કોઈ પણ એક
[ ૧૪૮TA
T
| શાન્તસુધારસ ભાગ ૨)