________________
સંક્ષેપમાં યોગના ત્રણ ભેદ છે એટલા માટે નિગ્રહરૂપ ગુપ્તિના ત્રણ ભેદ થાય
I કોઈ પણ વસ્તુ લેવા-મૂકવામાં અથવા બેસવા-ઊઠવામાં, હાલવા-ચાલવામાં
કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક હોય એ પ્રકારે શારીરિક વ્યાપારનું નિયમન કરવું કાયગુપ્તિ છે. બોલવાના પ્રત્યેક પ્રસંગે વચનનું નિયમન કરવું અગર તો મૌન ધારણ કરવું વચનગુપ્તિ છે. દુષ્ટ સંકલ્પ અને સારા-ખોટા મિશ્ર સંકલ્પનો ત્યાગ કરવો અને સારા સંકલ્પોનું
સેવન કરવું એ મનોગુપ્તિ છે. સમિતિના ભેદઃ
... इर्याभाषणादान निक्षेपोत्सर्गाः समितयः । સમ્યગુ ઈય, સમ્યગુ ભાષા, સમ્યગુ એષણા, સમ્યગુ આદાન-પ્રદાન-નિક્ષેપ અને સમ્યગુ ઉત્સર્ગ - આ પાંચ સમિતિઓ છે. તમામ સમિતિઓ વિવેકયુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી સંવરનો ઉપાય બને છે. એટલા માટે પ્રત્યેક સમિતિને સમજી લો. ૧, ઈસમિતિ કોઈ પણ જીવને ક્લેશ ન થાય એવી રીતે સાવધાનીપૂર્વક ચાલવું. - ૨. ભાષા સમિતિ સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહરહિત ભાષા બોલવી.
૩. એષણા સમિતિ જીવનયાત્રામાં આવશ્યક નિર્દોષ સાધનો એકઠાં કરવામાં - સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ કરવી. ૪. આદાન-પ્રદાન નિક્ષેપ સમિતિઃ વસ્તુમાત્રને સારી રીતે જોઈને અને પ્રમાર્જિત
કરીને જ ઉપયોગી વસ્તુઓ લેવા-મૂકવી. પ. ઉત્સર્ગ સમિતિ જીવરહિત જમીન પર, જોઈ-તપાસીને અને પ્રમાર્જિત કરીને જ
અનુપયોગી વસ્તુઓ તથા મળ-મૂત્ર વગેરેનું વિસર્જન કરવું. ધર્મના ભેદઃ उत्तमः क्षमामार्दवार्जव शौच सत्य संयम तपःत्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः ।
ક્ષમા, માદેવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય - આ દશ ઉત્તમ પ્રકારના ધર્મો છે. હવે આપણે સંક્ષેપમાં આ દશ ધર્મો ઉપર વિવેચન કરીશું, ધ્યાનથી સાંભળો.
ક્ષમા કોઈ તમને ગોળ દે, કોઈ તમારું અપમાન કરે, તમારી ઉપર પ્રહાર કરે, તો તમે સહન કરી લો; ગાળ દેનાર તરફ, અપમાન કરનાર તરફ અને પ્રહાર કરનાર [ સંવર ભાવના
૧૪૫ |