________________
येन येन यः इहाम्रवरोधः सम्भवेन्नियतमौपयिकेन ।
आद्रियस्व विनयोद्यतचेतास्तत्तदान्तरदृशा परिभाव्य ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “સંવર ભાવનાનો પ્રારંભ કરતાં જણાવે છે કે જે જે ઉપાયો દ્વારા આસવોને રોકી શકાતા હોય, એ તમામની યોગ્ય રીતે સમીક્ષા કરીને તું એ ઉપાયોનો આદર કર, તે ઉપાયોને જીવનમાં અપનાવી લે.” સંવરની પરિભાષા શ્રી તત્ત્વાર્થસૂત્ર'માં સંવરની પરિભાષા -
મારવનિરોધક સંવ | આસવનો નિરોધ એ સંવર છે. - પરિભાષા આ રીતે બતાવવામાં આવી છે. આસવનો નિરોધ અર્થાતુ પ્રતિબંધ કરવો એ જ સંવર છે. આસવોનો નિરોધ જેટલા અંશે થશે, એટલે અંશે ‘સંવર’ કહેવાશે. મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ આસવ-નિરોધ - સંવર પર જ નિર્ભર છે. ગુણસ્થાનોની વૃદ્ધિ પણ “સંવર' પણ આધારિત છે. આસવ-નિરોધના ઉપાયો :
ગુપ્તિ સમિતિ
ધર્મ
અનુપ્રેક્ષા પરીષહ જય ચારિત્ર
P = 3 ૪ = |
ગુપ્તિઃ
સૌ પ્રથમ આપણે ‘ગુપ્તિ'ના વિષયમાં વાત કરીશું. (કાયિક, વાચિક અને માનસિક ક્રિયા અથાત્ યોગનો તમામ રીતે નિગ્રહ કરવો એ જ ગુપ્તિ નથી, પરંતુ પ્રશસ્ત નિગ્રહ જ ગુપ્તિ બનીને સંવરનો ઉપાય બને છે. પ્રશસ્ત નિગ્રહનો અર્થ છે - સમજી-વિચારીને તથા શ્રદ્ધાપૂર્વક જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અર્થાત્ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે વાળવાં.
[૧૪]
| શાનસુધરસ ભાગ ૨)