________________
અશ્વપતિ પાસે ગયા. રાજાએ તેમને તત્ત્વજ્ઞાન આપ્યું, આત્માનુભૂતિ કરવાનું માર્ગદર્શન આપ્યું.
આ ઋષિઓનો ગુરુગમ હતો. સદ્ગુરુ કોઈ પણ રૂપમાં, કોઈ પણ વેશમાં થઈ શકે છે. રાજાએ ઋષિઓને ભેદજ્ઞાન કરાવ્યું. પુદ્ગલ રાગ એ જ કષાય :
પ્રવેશ વિનાશમ્ ! આત્મામાં કર્મપુદ્ગલોનો પ્રવેશ છે, એટલા માટે ક્રોધ, માન, માયા અને લોભ - આ કષાયો આત્માને ઘોર દુઃખ આપે છે. આ ક્રોધાદિ કષાયો મોહનીય કર્મ છે. કર્મપુદ્ગલ છે. આત્માની સાથે મળીને, દોસ્ત બનીને દુશમનનું કામ કરે છે.
ક્રોધી, માની, માયી, લોભી, પુદ્ગલ રાગે હોય; - પુદ્ગલ સંગ વિના એ ચેતન શિવનાયક નિત જોય.
જ્યારે પુદ્ગલ સંગ છૂટી જશે ત્યારે ચેતન આત્મા શિવનગરનો વાસી -મુક્તિનો સ્વામી બની જશે, ત્યારે નહીં રહે ક્રોધ, નહીં રહેમાન, નહીં રહે માયા અને નહીં રહે લોભ ! આત્મા વીતરાગ બની જશે. બનવું છે વીતરાગ ? બનવું છે અકષાયી?, તો પુદ્ગલ રાગ ઓછો કરતા રહો. પુદ્ગલની આસક્તિ તોડતા રહો. પુગલ સંગથી જ કામી-વિકારીઃ ' જેવી રીતે પુદ્ગલ રાગથી જ જીવ કષાયી બને છે, એવી જ રીતે પુદ્ગલથી જ જીવ કામી-વિકારી (વાસનાવિવશ) બને છે. વિષયવાસના, પુદ્ગલ પ્રેમથી જ ઉત્પન્ન થાય છે. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું, બધાં શરીર પૌદ્ગલિક હોય છે. મનુષ્યનાં શરીર ઔદારિક નામનાં પુદ્ગલોથી બને છે. શરીરનાં રૂપરંગ પણ પુદ્ગલની જ રચના છે. એક કવિએ ગાયું છેઃ
કોઈ ગોરા, કોઈ કાલા પીલા, નયણે નિરખન કી,
વો દેખી મત રાચો પ્રાણી, રચના પુદ્ગલ કી. શરીર અને શરીરનાં રૂપરંગ તો પૌદ્ગલિક જ છે. જીવના મનમાં જે જાતીય વાસના સેક્સી વૃત્તિ જાગે છે, તે પણ કર્મપુદ્ગલને કારણે જ જાગે છે. પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ - આ ત્રણ કર્મભેદ મોહનીય કર્મના જ ભેદ છે. પુદ્ગલને સંગે જ આત્મા વિકારી - વિષયી બને છે.
નરનારી નપુંસક વેદી પુદ્ગલ કે પરસંગ
જાણ અવેદી સંદા જીવ એ. પુદ્ગલ વિના અભંગ. જે વિષયવાસના તોડવી હોય, અવેદી-અવિકારી બનવું હોય, તો પુદ્ગલ પ્રેમ અન્યત્વ ભાવના
૫ |