________________
અતિ ઉગ્ર તપશ્ચયનો માર્ગ ગ્રહણ કર્યો. . શરીરની માયા-મમતાનો ત્યાગ કર્યો. i અનશન સ્વીકાર્યું. તમામ સહજતાથી થયું, નિરપેક્ષ ભાવે થયું.
પરંતુ જે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું હતું, તે પૂર્ણરૂપે ભોગવવામાં આવ્યું ન હતું, એ ભોગવ્યા સિવાય આત્મા કર્મરહિત ન થઈ શકે અને મુક્તિ ન પામી શકે. એટલા માટે મૃત્યુ પછી તેને “સવર્થસિદ્ધિ' નામના અનુત્તર દેવલોકમાં જન્મ લેવો પડ્યો.
૩૩ સાગરોપમનો અસંખ્યકાળ એ દેવલોકમાં વ્યતીત કરશે, પુણ્યનો ક્ષય કરતા રહેશે, પછી મનુષ્યજન્મ પામશે. શેષ કમનો ક્ષય કરીને તે મોક્ષ પામશે. પુણ્યની સોનાની કડી તૂટી જશે અને સિદ્ધ-બુદ્ધ મુક્ત બની જશે.
બધું જ સહજતાથી થયું. ન કોઈ વિન, ન કોઈ અંતરાય પુણ્યાનુબંધી પુણ્યના ઉદયની આ વિશેષતા છે. મળે છે સહજતાથી છૂટી જાય છે પણ સહજતાથી. અનશનકાળમાં સતત શાજાસુધારસનું પાન: *
વૈભારગિરિ ઉપર શાલિભદ્ર મુનિએ અનશન કર્યું હતું. એમની સાથે એમના બનેવી ધનાજી પણ હતા. તે પણ શાલિભદ્ર સાથે જ સાધુ બન્યા હતા. બંનેએ સાથે જ અનશન કર્યું હતું. “અનશન' એટલે ખાવું-પીવું બંધ ! અને આ તો ‘પાદપોપગમન અનશન હતું. એટલે કે શરીર જે સ્થિતિમાં હોય. એ સ્થિતિમાં રાખવાનું. પડખું-પાસુ પણ બદલવાનું નહીં હાથપગ પણ ઊંચાનીચા કરવાના નહીં અને મનમાં વિશુદ્ધ ધ્યાન કરવાનું. કોઈ સંકલ્પ-વિકલ્પ ન કરવાના. સતત શાન્તરસનો અનુભવ કરતા રહેવાનું.
સભામાંથી આવી માનસિક સ્થિતિ અને આત્મધ્યાનથી સિદ્ધિ એમણે ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત કરી હશે?
મહારાજશ્રી પ્રશ્ન મહત્ત્વપૂર્ણ છે. દીક્ષાના બીજા જ દિવસે તેમણે અનશન કર્યું હતું. તો પછી આવી ઉચ્ચતમ આત્મસ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી હશે? નિરંતર ધર્મધ્યાન અને શાન્તસુધારસનું પાન કેવી રીતે કર્યું હશે? મને આ પ્રશ્નનું એક જ સમાધાન મળ્યું છે, તે છે પરમાત્માની અચિંત્ય કૃપા! દિવ્ય કૃપા. એમના ગુરુ સ્વય તીર્થંકર પરમાત્મા હતા.
ગુરુકૃપાના દિવ્ય અનુભવ વિરલ આત્માઓ જ કરી શકે છે. ત્રણ વાતો જોઈએ શિષ્યમાં - - ગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, • ગુરુ પ્રત્યે પૂર્ણ શરણાગતિ.
. ૧૩૯]