________________
હતો, ત્યાં એ દરરોજ એક વૃક્ષની નીચે એક મુનિરાજને ધ્યાનમાં ઊભેલાયા બેઠેલા જોતો હતો. તો તેમને એ દૂરથી પ્રણામ કરતો હતો. એ બાળકને મુનિરાજ ગમી ગયા. મનથી એ મુનિરાજને પ્રેમ કરતો હતો.
એક મહિનો નીકળી ગયો અને એક દિવસે એ ગોવાળ બાળકે એ મુનિરાજને પોતાની ઝુંપડી આગળથી પસાર થતા જોયા. જોતાની સાથે જ એનાં રોમ-રોમ વિકસ્વર થઈ ગયાં. હર્ષથી ઉન્મત્ત જેવો બનીને તે દોડ્યો અને મુનિરાજને પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યો.
એ દિવસે એણે રડીને પોતાની મા પાસે ખાવા માટે ખીર બનાવડાવી હતી. હજું એણે ખીર ખાધી ન હતી. થાળીમાં પડી હતી. એની માતા પાણી ભરવા કૂવા ઉપર ગઈ હતી. આ બાળકનું ખીર ખૂબ જ પ્રિય ભોજન હતું, પરંતુ એનાથી વધારે પ્રિય મુનિરાજ હતા. આ છોકરાને ખબર ન હતી કે એ દિવસે મુનિરાજને એક માસના ઉપવાસનું પારણું હતું. છોકરાએ પૂર્ણ હર્ષથી ખીર મુનિરાજના પાત્રમાં નાખી દીધી. મુનિરાજ “ધર્મલાભ આપીને ચાલતા થયા. છોકો આનંદથી નાચવા લાગ્યો. પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું અને નિકાચિત કર્યું!
એ જ રાત્રે છોકરાનું મૃત્યુ થઈ જાય છે. એનો જન્મ રાજગૃહીમાં શાલિભદ્રના રૂપે થાય છે. હવે પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા કેવું પરિવર્તન અને ઊર્વીકરણ થાય છે જીવનનું, એ બતાવું - • ગોવાળમાંથી ઉચ્ચ વૈશ્યકુળમાં જન્મ થયો. - ગરીબીમાંથી શ્રીમંતપણામાં આવી ગયો - ગર્ભશ્રીમંત બન્યો.
જ્યાં એક અજાણ્યા તપસ્વી-મુનિ સાથે પ્રેમ કર્યો હતો. અહીં આ જન્મમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જાતે મળ્યા. - ત્યાં સહજતાથી,પ્રિય ભોજન ખીરનો ત્યાગ કર્યો, અહીં એણે અમાપ-અગણિત
સંપત્તિનો ત્યાગ કર્યો. - બધું જ ભવ્ય, અપૂર્વ સુખદાયી અને નિરાપદ મળ્યું!
અને એક સામાન્ય નિમિત્ત મળતાં. પ્રેમપૂર્ણા માતાનો ત્યાગ કર્યો.
૩૨ પ્રેમસભર પત્નીઓનો પણ ત્યાગ કર્યો v ભવ્ય મહાલયનો પરિત્યાગ કર્યો. | અમાપ વૈભવ-સંપત્તિનો ય ત્યાગ કર્યો. . ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. [ ૧૩૮)
શાના સુધારસ ભાગ ૨)