________________
એવાં અનેક સાધનો પુણ્ય સાપેક્ષ હોય છે, એ અપેક્ષાએ પુણ્યકર્મ ઉપાદેય હોય છે, ઉપયોગી હોય છે, મોક્ષમાર્ગની આરાધનામાં આવશ્યક હોય છે. પરંતુ આ પુણ્યોદય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય જોઈએ. પુણ્યોદયના બે પ્રકારઃ - પુણ્યોદયના બે પ્રકાર હોય છે - પુણ્યાનુબંધી પુણ્યોદય અને પાપાનુબંધી પુણ્યોદય. જે પુણ્યકર્મનો ઉદય થતાં સુખસંપત્તિ થવાથી જીવાત્માને સદ્બુદ્ધિ જાગે, સત્કાર્ય કરવાની ભાવના જાગે, એને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે અને જે પુણ્યકર્મનો ઉદય થતાં જીવાત્માને દુબુદ્ધિ જાગે, પાપકર્મ કરવાની ઈચ્છા થાય અને સુખસામગ્રીનો દુરુપયોગ કરે એને પાપાનુબંધી પુણ્યનો ઉદય કહે છે.
આજકાલ વધારે પ્રમાણમાં પાપાનુબંધી પુણ્યનો ઉદય દેખાય છે. કાળનો પ્રભાવ હોય યા તો જીવદ્રવ્યોની યોગ્યતા-અયોગ્યતાનો પ્રભાવ હોય, પરંતુ વધારે પ્રમાણમાં પાપાનુબંધી પુણ્યનો ઉદય જણાય છે. પાપાનુબંધી પુણ્યનો ઉદય થતાં પ શાતાવેદનીય કર્મનો ઉદય થતાં શરીર નીરોગી અને સશક્ત મળે છે. એવા - શરીરનો ઉપયોગ તપ-ત્યાગ અને સેવા-પરોપકારના કાર્યમાં કરવા નહીં દે, પરંતુ ભોગવિલાસમાં અને બીજા જીવોનું પીડન કરવામાં કરશે. જ્ઞાન-ધ્યાનમાં નહીં કરે, પરંતુ ગીત-સંગીત અને નૃત્યાદિ વિલાસી પ્રવૃત્તિમાં કરશે. સૌભાગ્ય પુણ્યકર્મનો, યશનામ કર્મનો ઉદય થશે ત્યારે તે પોતાનાં યશ-કીર્તિ વધારવાનો પ્રયત્ન કરશે. ધર્મશાસનની ઉન્નતિનાં કાર્ય નહીં કરે. દાન આપશે,
પરોપકાર પણ કરશે, પરંતુ પોતાનો યશ વધારવા કરશે. - સત્તાનું સિંહાસન મળશે, પરંતુ બીજા જીવોનું - પ્રજાનું હિત નહીં કરે. પોતાના જ
સ્વાથની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરશે. તમે લોકો આ જોઈ રહ્યા છો ને? જે લોકો ચૂંટણીમાં જીતી જાય છે. પ્રધાન બની જાય છે. તે પછી તેઓ પ્રજાને યાદ કરે છે? ના, તેઓ તો પોતાના સ્વાર્થોની સિદ્ધિ માટે પ્રયત્નશીલ બની જાય છે. સુસ્વર’ નામના પુણ્યકર્મના ઉદયથી તેમનો અવાજ લોકપ્રિય અને મધુર બની જાય છે. પરંતુ તેનો ઉપયોગ તેઓ પ્રભુભક્તિમાં - ગુરૂતુતિમાં નહીં કરે. એનો ઉપયોગ તેઓ ધન કમાવામાં, યશ-કીર્તિ કમાવામાં કરશે.
૪૨ પ્રકારનાં પુણ્યકર્મ હોય છે. જે પાપાનુબંધી પુણ્યનો ઉદય હશે તો એ મનુષ્ય એ પુણ્યકર્મોના માધ્યમથી નવાં પાપકર્મો જ બાંધતો રહેશે. તે સુખનાં સાધનોનો
આસવ ભાવના
૧૩૫