________________
પાપકર્મોનું ફળ તો જાણો જ છો ને? દુઃખ, ત્રાસ અને વેદના, ક્લેશ, અશાન્તિ અને સંતાપ. જો જીવનમાં દુઃખ ઇચ્છતા ન હો તો પાપકર્મો ન બાંધો. પાપકર્મોથી બચવું હોય તો અશુભ આસ્રવોથી બચવું જ પડશે. ગમે તે ઉપાય કરો, પરંતુ આસવોથી બચતા રહો.
સભામાંથી આસવોથી બચવું અમને તો અશક્ય લાગે છે. મહારાજશ્રી અશક્ય કશું જ નથી. આસ્રવોથી બચવા માટેનો દૃઢ સંકલ્પ જોઈએ. “સંવર ભાવના'માં ઉપાયો બતાવવામાં આવશે. ઉપાયો તો છે, ઉપાયનો અમલ કરવો આવશ્યક છે. નિરાશ થવાનું નથી, ઉત્સાહિત થઈને ઉપાયો કરવા પડશે. શુભ યોગોથી પણ આસ્રવ થાય છે?
જેવી રીતે અશુભ યોગોથી પાપકર્મોનો આસ્રવ થાય છે એવી રીતે શુભયોગોથી પણ પુણ્યકર્મોનો આત્મામાં આસ્રવ થાય છે. જેવી રીતે પાપકમાંથી દુઃખ, ત્રાસ મળે છે, જીવોને દુર્ગતિઓમાં જન્મ-મરણ કરવાં પડે છે, એવી રીતે પુણ્યકમોના ઉદયથી જીવોને સુખનાં સાધનો મળે છે અને સ્વર્ગ આદિ સદ્ગતિઓમાં જન્મ મળે છે. હજારો, લાખો, કરોડો વર્ષ - અસંખ્ય વર્ષો સુધી ભૌતિક-વૈષયિક સુખો મળે છે. કેટલાંક વૈષયિક સુખ ભોગવવાં જ પડે છે. આ અપેક્ષાએ શુભ કર્મોનો આસવ મોક્ષમાર્ગમાં બાધક બને છે.
આ વાત સાપેક્ષ દ્રષ્ટિથી સમજવાની છે. જે રીતે પુણ્યકમનો ઉદય મોક્ષમાર્ગમાં બાધક બને છે એમ પુણ્યકર્મોનો ઉદય મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક પણ બને છે. અરે, પુણ્યકર્મોના ઉદય વગર મોક્ષમાર્ગની આરાધના સંભવી શકતી જ નથી! પુણ્યકર્મનો ઉદય મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક . પ્રથમ પુણ્યોદય તો છે મનુષ્ય જીવનનો. જીવાત્માને મનુષ્ય જીવનની પ્રાપ્તિ
પુણ્યકર્મના ઉદયથી થાય છે. i બીજો પુણ્યોદય છે મનુષ્ય-શરીરની પૂર્ણતા. એટલે કે ઇન્દ્રિયોની પૂર્ણતા. | ત્રીજો પુણ્યોદય છે મોક્ષમાર્ગની આરાધના માટે સક્ષમ શરીરની અને સક્ષમ
મનની પ્રાપ્તિ. મોક્ષમાર્ગને સમજનારું મન પુણ્યકર્મના ઉદયથી જ મળે છે. ચોથો પુણ્યોદય છે સરુની પ્રાપ્તિ. મોક્ષમાર્ગની આરાધનામાં સદ્ગુરુનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. પાંચમો પુણ્યોદય છે સારા સંસ્કારી પરિવારની પ્રાપ્તિ. એવો પરિવાર કે જે મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બને.
૧૩૪
1 શાન્ત સુધારસ: ભાગ ૨