SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વપ્રથમ અશુભ યોગોનો વિરોધ કરો: જો તમારું મન ચંચળ હશે, વાણી સાવધ હશે અને કાયા અસ્થિર હશે, તો તમારો આત્મા કર્મોના કાદવથી ખરડાયેલો જ રહેશે, કમોથી બંધાયેલો જ રહેશે. અશુભ યોગોના આસવ ઉપર વિજય પામવાનો પુરુષાર્થ કરવાનો છે. શુભ યોગ પણ આસવ છે, પરંતુ એ વિષયમાં પાછળથી સમજાવીશ. પહેલાં અશુભ યોગ સમજાવવાનો છે. ગ્રંથકારે અશુભ યોગોને લોઢાની જંજીર કહી છે, શભ યોગોને સોનાની જંજીર કહી છે. પહેલાં લોઢાની જંજીર તોડવાની છે, પછી સોનાની. કેટલાક અશુભ યોગો : v પ્રથમ અશુભ યોગ છે - અસંયમ. મન-વચન-કાયાનો અસંયમ. . બીજો અશુભ યોગ છે - રાગ અને દ્વેષ. | ત્રીજી અશુભ યોગ છે - શલ્ય. માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વ શલ્ય. ચોથો અશુભ યોગ છે - ગારવ. રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ. v પાંચમો અશુભ યોગ છે - વિરાધના. જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને . ચારિત્ર વિરાધના.. i છઠ્ઠો અશુભ યોગ છે - સંજ્ઞાઓ. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. v સાતમો અશુભ યોગ છે - વિકથાઓ. સ્ત્રીકથા, ભોજનકથા. દેશકથા અને રાજકથા. . આઠમો અશુભ યોગ છે - દુધ્વનિ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. - નવમો અશુભ યોગ છે - લેક્ષાઓ. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા.. - દશમો અશુભ યોગ છે - આઠ મદ. જાતિનો મદ, કુળનો, રૂપનો, બળનો મદ, લાભનો મદ, બુદ્ધિનો મદ, જ્ઞાનનો મદ, લોકપ્રિયતાનો મદ. સર્વપ્રથમ જે “અસંયમ’ બતાવ્યો તે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો સમજવો. આ તમામ અશુભ આસવો છે. એમનાથી આત્મામાં અશુભ પાપકર્મો નિરંતર આવતાં રહે છે અને ચોંટતા રહે છે. પાપક અશુભ આસવો દ્વારા આત્મામાં આવે છે અને આત્માને બાંધતા રહે છે. એટલા માટે જો પાપકમાંથી બચવું હોય તો અશુભ - યોગોથી બચવું જ પડશે.' [ આસવ ભાવના છે. ૧૩૩]
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy