SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे नियतमनन्तशो जन्मजरामरणेषु ॥ ५ ॥ પરમ ઉપકારી, ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'માં “આસવ ભાવનાના ગેય કાવ્યમાં આગળ વધતાં ગાય છેઆવેશ અને આવેગના પંજામાં ખરાબ રીતે ફસાયેલાં પ્રાણી નરકની યાત્રા ઉપર ચાલ્યાં જાય છે અને અનંત-અનંત જન્મ-મરણના ચકકરમાં ભટકાતાં-ફરતાં રહે છે. મનસા વીવા રે, ૪પુષ વંઘમાં યતિળિ | * उपलिप्यन्ते रे तत आम्रवजये यततां कृतमपरेण ॥ ६ ॥ મન-વાણી અને કાયાથી ચંચળ-અસ્થિર પ્રાણી પાપના બોઝથી દબાઈને - નમીને કર્મરૂપ કાદવથી ખરડાઈ જાય છે. એટલા માટે હે આત્મન્ ! અન્ય તમામ કાય બાજુ ઉપર રાખીને, અન્ય સર્વ વાતો ગૌણ કરીને તું આસવો ઉપર વિજય પ્રાપ્ત કર. शुद्ध योगा रे यदपि यतात्मनां प्रवन्ते शुभकर्माणि । कांचननिगडांस्तान्यपि जानीयात् हतनिर्वृति शर्माणि ॥ ७ ॥ સંયમી અને વિશદ્ધ આત્માઓના શુદ્ધ-શુભ યોગ પણ સારાં કમને જોડે છે. વધારે છે. જ્યારે મોક્ષ માટે તો આ શુભ કમ પણ જંજીર જ બને છે. ઠીક છે, જંજીર સોનાની હોય યા લોઢાની, જંજીર તો જંજીર જ છે. મોલવું સવપામનાં જે થિયમાથા - शान्तसुधारस पानमनारतं, विनय ! विधाय विधाय ॥८॥ * ઓ વિનય! સવરૂપ પાપોને રોકવા માટે તું તારી સ્વચ્છ અને સ્વચ્છ બુદ્ધિને પ્રયુક્ત કરે અને સાથે જ થાક્યા વગર શાન્તસુધારસનું પાન કર. કષાયોથી બચીને રહોઃ ક્રોધ, મન, માયા અને લોભ - આ ચાર કષાયો છે. કષાયોથી બચવાનું છે. કષાય-આસવોને તમને વિસ્તારથી સમજાવ્યા છે, એટલા માટે આજે કષાયોના વિષયમાં વિવેચન કરવાનું નથી. કષાયોમાં ફસાયેલા જીવ અનંત સંસારમાં જન્મમરણ કરે છે અને વર્ણનાતીત દુઃખ-ત્રાસ સહન કરતા રહે છે. એટલા માટે ગમે તેમ કરીને કષાયો ઉપર અનુશાસન કરવાનું છે. કષાયોને ઉદયમાં આવવા દેવાના નથી. કષાયોને અંદર ને અંદર શાન્ત કરતા રહો, દબાવતા રહો, નષ્ટ કરતા રહો. વચનોમાં અને આચરણમાં આવવા ન દેશો. (૧૩૨ ૧૩૨ . | શાન્તસુધારસ ભાગ ૨ શાન્તસુધારસ : ભાગ ૨
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy