SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગીત અને સંગીત - આ શ્રવણેન્દ્રિયનો પ્રિય, મનપસંદ વિષય છે. એ મનપસંદ વિષયમાં જ્યારે ભલુંભોળું હરણ લીન બને છે, સૂરોની રસમાધુરીમાં મસ્ત બનીને ડૂબકી લગાવે છે, ત્યારે ક્રૂર શિકારી એના પ્રાણ હરી લે છે. હા, આ સંસાર પણ એવો જ છે. એક શ્રવણેન્દ્રિય પરવશતા હરણનો પ્રાણ લે છે, તો પછી મનુષ્ય? એ તો પાંચ ઈન્દ્રિયોને પરવશ છે! હે માનવ! જો એક ઇન્દ્રિયની. પરવશતા પણ મોતનું વાતાવરણ ઊભું કરી દેતી હોય તો પછી તારું શું થશે? તું તો પાંચે ય ઇન્દ્રિયોનો ગુલામ બની બેઠો છે. ઇન્દ્રિયો સદૈવ અતૃપ્તઃ અસંખ્ય જડ-ચેતન વિષયોમાં ફેલાયેલી ઇન્દ્રિયોની લોલુપતા આ રીતે શાન્ત થશે જ નહીં. જેમ જેમ તમે એમને વિષયો આપતા જશો તેમ તેમ એમની અતૃપ્તિની તૃષા વધતી જ જશે. અગ્નિમાં લાકડાં અને ઘી નાખતા રહેવાથી તો તે વધારે તેજ બનશે, હોલવાશે નહીં! ઉપાધ્યાય યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’માં કહ્યું છે? बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च काङ्क्षसि । । तदेन्द्रियजयं कर्तु, स्फोरय स्फार पौरुषम् ॥ જો તું સંસારમાંથી મુક્ત થવા ઇચ્છતો હોય અને મોક્ષપ્રાપ્તિની અભિલાષા રાખતો હોય, તો તારી ઈન્દ્રિયો પર વિજય પામવા માટે પ્રચંડ પુરુષાર્થ કર. . આજે બસ, આટલું જ. [૧૩૦ પ . . . શાન્તસુધારસ ભાગ ૨)
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy