SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ | બ્રહ્મચર્યપાલન આવશ્યક નથી. . રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી નથી. કંદમૂળ-અભક્ષ્યનું ભોજન કરી શકો છો. આ તમામ વિધિનિષેધ આત્મધર્મ માટે ઉપયોગી નથી હોતા, બસ આત્મધમી બનો. આત્મદર્શન કરો. આત્મદર્શન થતાં બધું જ મળી જાય છે. કુગુરુઓ કદી કહેશે નહીં કે ' v પાપોનો ત્યાગ કરો, પુણ્યકર્મ કરો. | મૈથુનનો ત્યાગ કરો, બ્રહ્મચર્યનું પાલન કરો. એ તો એવી વાત સમજાવશે કે જડ જડને ભોગવે છે. આત્મા તો અભોક્તા છે. આત્મા સ્વપર્યયોનો જ ભોક્તા છે. આવા ઉપદેશને કારણે વિષયલોલુપ જીવોને વિષયાનંદ પામવામાં કોઈ અફસોસ રહેતો નથી. આવા જીવ મોક્ષમાર્ગથી દૂર-સુદૂર ચાલ્યા જાય છે. પાપક્રિયાઓના રાગી બની જાય છે. નથી રહેતો વિષય-વૈરાગ્ય. નથી જાગતો મોક્ષપ્રેમ. આવા કુગુરુઓના મોટા મોટા આશ્રમો હોય છે. ત્યાં આનંદપ્રમોદનાં અનેક સાધનો ઉપલબ્ધ હોય છે. એશઆરામની પૂરી સગવડો હોય છે. વિશેષ રૂપે એવાં સ્થાનોમાં શ્રીમંત-ધનવાન લોકો જાય છે. જે લોકોનું ઘોર મિથ્યાત્વ ઉદયમાં હોય છે એમને સાચી વાત સમજાતી નથી. લાખ પ્રયત્નો કરવા છતાં પણ સાચો મોક્ષમાર્ગ સમજી શકતા નથી. એવા લોકોને એમની નિયતિ પર છોડી દેવા જોઈએ. મિથ્યાત્વનો આસવ વિશેષ રૂપે આત્માને નુકસાન કરે છે. હું એવા કેટલાક બુદ્ધિમાનોને જાણું છું, ઓળખું છું, જે લોકો કરઓના ફંદામાં ફસાયા છે અને ધર્મથી-મોક્ષમાર્ગથી દૂર-દૂર ચાલ્યા ગયા છે. પરંતુ જ્યાં સુધી એમનો પુણ્યોદય થતી નથી ત્યાં સુધી એ લોકો સાચા માર્ગે પાછા ફરી શકતા નથી. આવા લોકોને સમજાવવા નિરર્થક છે. એમને પોતાના ધનનું, બળનું, બુદ્ધિનું અભિમાન તો હોય જ છે, પરંતુ હું આત્મજ્ઞાની છું. એવું આત્મઘાતી અભિમાન પણ પીડતો હોય છે. અભિમાનીને સત્ય સમજાવી શકાતું નથી. આવા જીવોનો ગુણવૈભવ વેરવિખેર થઈ જાય છે. તે લોકો ગુણવૃષ્ટિથી દરિદ્ર બની જાય છે. અવિરતિ વિષયલોલુપતાનું પ્રમુખ કારણ? અવિરતિ એવો કમર્સિવ છે કે જીવાત્મા મન, વચન, કાયાથી પાપ ન કરે તો પણ પાપકર્મોનું આગમન આત્મામાં ચાલતું રહે છે. એટલે કે કર્મબંધ થતો રહે છે. તમે વિચારશો કે પાપ ન કરવા છતાં પણ પાપકર્મોનું બંધન કેવી રીતે થાય?” થાય આસ્રવ ભાવના ૧૨૩
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy