________________
परिहरणीया रे ! सुकृतिभिरामवा, हृदि समताभवधाय । प्रभवन्त्येते रे ! भशमच्यखला विभुगुणविभववधाय ॥१॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્ત સુધારસની સાતમી “આસ્રવ ભાવના “ધનશ્રી રાગમાં ગાય છે. તેઓ કહે છે શ્રેયાર્થી આત્માને હૃદયમાં સમત્વ ધારણ કરીને કર્મબંધના પ્રબળ કારણરૂપ આસવોનો ત્યાગ કરવો જોઈએ. જો એ આસવો નિરંકુશ બની ગયા તો ગુણોના વૈભવને વેરવિખેર કરી નાખશે.
कुगुरुनियुक्ता रे ! कुमतिपरिप्लुताः शिवपुरपथमपहाय। प्रयतन्तेऽमी रे ! क्रियया दुष्टया प्रत्युत शिवविरहाय ॥ २ ॥ દંભી અને પાખંડી ગુરુઓના ચકકરમાં ફસાઈને યા પોતાની ખોટી બુદ્ધિનો શિકાર બનીને જીવાત્મા મોક્ષનો સાચો માર્ગ છોડી દઈને અશુદ્ધ અને અશુભ ક્રિયાઓમાં ગૂંચવાઈ જાય છે, અને આ રીતે મોક્ષથી ઠીકઠીક દૂર ફેંકાઈ જાય છે.
ત્યાગ, પ્રતિજ્ઞા યા અનુશાસન માટે જરા પણ ઉત્સુક નહીં એવાં પ્રાણી આવેગને આધીન બનીને આ લોક અને પરલોકમાં કર્મોને કારણે ઉત્પન ભીષણ દુઃખોના પાશમાં ફસાઈ જાય છે.
મથુરા રે! શમાવવો, વિષયવિનોદરા , - હસ્ત ! સ્ત્રમને રે! વિવિઘા તેના બત! પરાતિવિરસેન ! ૪ .
હાથી, માછલી, ભ્રમર, પતંગ અને હરણ -આ પ્રાણીઓ પોતપોતાના મનપસંદ પદાર્થોની પાછળ પાગલ બનીને ભટકે છે અને પીડાનો શિકાર બની બેસે છે. પરિણામસ્વરૂપ મોતની ગહન ખીણમાં પડી જાય છે. કુગુરુઓના ચક્કરમાં ફસાસો નહીં?
મોક્ષમાર્ગમાં ગુરુતત્ત્વનું ખૂબ મહત્ત્વ છે. મોક્ષમાર્ગની આરાધનામાં ડગલેપગલે ગુરનું માર્ગદર્શન અપેક્ષિત છે - જે સાચો રાહ બતાવે તે સદ્ગુરુ કહેવાય છે અને જે ખોટો માર્ગ બતાવે તે કુગુરુ કહેવાય છે. જો કે સદ્ગુરુની પ્રાપ્તિમાં મનુષ્યનું પુણ્યકર્મ જ મુખ્ય રૂપમાં કારણ હોય છે. પરંતુ એમાંય મનુષ્યની બુદ્ધિની આવશ્યકતા રહે છે.
આમ તો સદ્ગુરુની પસંદગીનો તો પ્રશ્ન જ નથી ઊઠતો, પસંદગી હંમેશાં બુદ્ધિથી જ કરવામાં આવે છે અને બુદ્ધિ કોઈ વાર દગો દે છે. એટલા માટે તો એક મહાત્માએ કહ્યું છે - મારગ સાચો કોણ બતાવે? જાકું જાઈકે પૂછીએ તે તો અપની અપની ગાવે...
મારગ સાચો કોણ બતાવે? [ આસવ ભાવના
૧૨૧]