SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નૃશંસ હત્યાઓને જોવી કેટલે અંશે શક્ય બને? એટલા માટે જોવાની ઉત્કંઠાને દબાવીને એ વેદનાઓને શાસ્ત્રોના માધ્યમથી જાણી લેવી એ જે ઉચિત છે. આવી દુઃખપૂર્ણ નરકતિર્યંચગતિનો રસ્તો પણ એટલો જ ડરાવનારો છે. એટલો જ ભયંકર છે. એટલો જ દુખપૂર્ણ અને ક્લેશમય છે. એ રસ્તો છે - હિંસા અને જૂઠનો, ચોરીનો, વ્યભિચારનો અને પરિગ્રહનો અથતુ હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર અને પરિગ્રહના રસ્તા ઉપર ચાલીએ તો સીધા જ નરકનતિર્યંચ યોનિમાં પહોંચી જઈએ. વચ્ચે ભૂલા પડવાનો - ભટકાઈ જવાનો સવાલ જ નથી. રસ્તો તો કેવી રીતે ભૂલાય? આ માર્ગ બતાવનારા ક્રોધ, માન, માયા, લોભ સાથે જ રહે છે! આ માર્ગનું નિર્માણ કરનારા તેઓ પોતે જ છે. રસ્તાનો નિર્દેશ કરનારા પણ તેઓ જ છે. રસ્તામાં સાથીદાર બનીને ચાલનારા પણ તેઓ જ છે, તો પછી ભટકવાની વાત જ ક્યાં રહી? દુર્ગતિમાં પહોંચાડનારા કષાયો : દુર્ગતિના રસ્તાનું પ્રવર્તન કરનારા આ કષાયો છે. મનુષ્યોને, આવોને, આ રસ્તા ઉપર ચાલવાની સતત પ્રેરણા આપનારા આ કષાયો જ છે અને દુર્ગતિમાં સારી રીતે પહોંચાડનારા પણ તે જ છે. - શું ક્રોધે પરશુરામને ક્ષત્રિય-હત્યાનો ઉપદેશ ન આપ્યો? અને તેમને નરકમાં ન - ધકેલ્યાં? - અભિમાને શું રાવણને યુદ્ધના મેદાનમાં ન મોકલ્યો? અને ખરાબ રીતે પરાજિત થઈને સીધો જ નરકમાં ન મોકલ્યો? - માયાએ રુક્તિ રાજાને હૃદયની અશુભ ભાવનાઓને છુપાવવાનો ઉપદેશ આપીને તેને નરક અને તિર્યંચ યોનિમાં ન ભટકાવ્યો? લોભે મમ્મણ શેઠને કયણતાના પાઠન શિખવાડ્યા? રૌદ્રધ્યાન શીખવીને એને સાતમી નરકે પહોંચાડ્યો ન હતો ? ક્રોધના આદેશો, અભિમાનની પ્રેરણાઓ, માયાની સલાહો અને લોભની લાલચોમાં ફસાયેલો - ભ્રમિત બનેલો જીવ હિંસા, જૂઠ અને દુષ્ટ આચરણના ભયાનક રસ્તે ચાલી નીકળે છે. નરક અને તિર્યંચ ગતિના ભીષણ સંસારમાં પોતાની જાતને હોમી દે છે. અનંત યાતનાઓ સહન કરતા જીવો પ્રત્યે ક્રોધ, માન, માયા, લોભને જરા પણ દયા યા તો સહાનુભૂતિ નથી. એમને બરાબર ઓળખો. આત્મામાં કર્મોનો સતત પ્રવાહ આ કષાયોના આસવ-દ્વારો દ્વારા થઈ રહ્યો છે. કષાયોનાં આ આસવ-દ્વાર બંધ કરવાં જ પડશે. એટલા માટે ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાનો સહારો લેવો જ પડશે. આજે બસ, આટલું જ. [ આસવ ભાવના . ૧૧૯]
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy