________________
- તાકાતથી આત્મા અનંત કર્મોનો આસ્રવ કરતો રહે છે. અર્થાત્ આત્મા અનંત કર્મબંધન કરે છે. કર્મબંધના પ્રકાર :
આસવ-દ્વારોથી જે કમ આત્મામાં આવે છે, એ સમયે એમાં ચાર અંશોનું નિર્માણ થાય છે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ (રસ) અને પ્રદેશ. ૧. કર્મપુદ્ગલોમાં જ્ઞાનને આવરિત કરવાનો, દર્શનને રોકવાનો, સુખદુઃખ આપવાનો વગેરે જે સ્વભાવ બને છે એ સ્વભાવનિમણિ જ પ્રકૃતિ બંધ છે. ૨. સ્વભાવ બનવાની સાથે જ એ સ્વભાવથી અમુક કાળ સુધી દૂર ન થવાની મર્યાદા પણ પુદ્ગલોમાં નિર્મિત થાય છે. આ કાલમદિાનું નિમણિ જ સ્થિતિબંધ છે. ૩. સ્વભાવનિમણિની સાથે જ તેમાં તીવ્રતા, મંદતા આદિ રૂપમાં ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે. આ રસબંધ છે. ૪. ગ્રહણ કરવા છતાં ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણત થનાર કર્મપુદ્ગલ રાશિ સ્વભાવાનુસાર અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે, આ પરિમાણવિભાગ જ પ્રદેશ-બંધ છે.
બંધના આ ચાર પ્રકારોમાંથી પ્રથમ અને અંતિમ બંને પ્રકાર યોગના આશ્રિત છે. કેમ કે યોગ (મન, વચન, કાયા)ના તરતમ ભાવ પર જ પ્રકૃતિ અને પ્રદેશબંધનો તરતમ ભાવ અવલંબિત છે. બીજો અને ત્રીજો પ્રકાર કષાય ઉપર આધારિત છે. કારણ કે કષાયની તીવ્રતા-મંદતા પર જ સ્થિતિ અને રસબંધની અલ્પાધિકતા અવલંબિત હોય છે. કર્મપુદ્ગલો ક્યાંથી આવે છે?
કદાચ તમે જાણવા ઇચ્છતા હશો કે આ કર્મપુદ્ગલો આસવ-દ્વારોથી આત્મામાં આવે છે તે ક્યાંથી આવે છે? હા કામણ-વર્ગણાનાં અનંત-અનંત જુગલો ચૌદ રાજલોકમાં ઠાંસીઠાંસીને ભરેલાં છે. અનંત-અનંત જીવાત્માઓ એક પળનો વિશ્રામ લીધા સિવાય પ્રતિસમયે અનંત-અનંત કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે, તો પણ કામણવણાનો સંગ્રહ કદીય ઓછો થતો નથી.
મન-વચન અને કાયાથી કોઈ પણ સૂક્ષ્મ યા શૂળ, નાની યા મોટી પ્રવૃત્તિ કરી કે આઠે પ્રકારનાં કર્મપુદ્ગલો આત્મામાં આવ્યાં સમજો. આ કર્મયુગલોનો સારો યા ખરાબ અનુભવ કષાયના માધ્યમથી થાય છે. આત્મપ્રદેશોની સાથે રહેલ કર્મપુદ્ગલોની સુખાત્મક અને દુઃખાત્મક સંવેદનાઓ આ કષાયો વગર થઈ શકતી નથી.
શુભ વિચાર-વાણી અને આચરણથી આત્મપ્રદેશોની સાથે શુભ કર્મોનો બંધ થાય છે. અશુભથી અશુભ, સુખદુઃખનો અનુભવ કષાય કરાવે છે. કષાયોનો ક્ષય થયા પછી એ પ્રદેશબદ્ધ કર્મપુદ્ગલો આત્મામાં સુખદુઃખની સંવેદનાઓ પેદા નથી કરી શકતાં.
આજે બસ, આટલું જ. [ આસવ ભાવના
૧૦૭