SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાંચ અવ્રત એટલે કે “અવિરતિના પ્રકાર છે. આ રીતે ચાર પ્રકારના મુખ્ય આસ્ત્રવોમાંથી મિથ્યાત્વ, અવિરતિ અને યોગ - આ ત્રણ આસ્રવ તમને બતાવ્યા, સમજાવ્યા. હવે ચોથો આસવ જે કષાય છે, એને વિસ્તારથી બતાવવા ઈચ્છું છું, પરંતુ કષાયોનું વર્ણન કરતા પહેલાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો બતાવવા માગું છું. કિષાય કર્માસ્તવમાં હતુ ક્યારે બને છે? : ' ચાર કષાયોને બે વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે - રાગ અને દ્વેષમાં. માયા અને લોભનું યુગલ ‘રાગ’ છે અને ક્રોધ-માનનું યુગલ દ્રષ’ છે. જ્યારે રાગ' શબ્દ સાંભળો ત્યારે માયા અને લોભની કલ્પના આવવી જોઈએ. માયા અને લોભનું આચરણ થતાં તરત જ “મેં રાગ કર્યો એ વાત સમજમાં આવવી જોઈએ. એ રીતે ‘ષ' શબ્દ કર્ણપટ ઉપર આવતાં જ ક્રોધ અને માન કલ્પનામાં ઊપસી આવવા જોઈએ. જ્યાં ક્રોધ ત્યાં અભિમાન, જ્યાં અભિમાન ત્યાં ક્રોધ હશે જ. ક્રોધ અને માનની પ્રગાઢ મૈત્રી હોય છે. આ રીતે આપણે કષાયોને “રાગદ્વેષ' કહીને ઓળખી શકીએ. આ રાગદ્વેષ (કષાય) એકલા જ કર્માસ્ત્રમાં નિમિત્ત-હેતુ નથી બનતા; મિથ્યાત્વ, અરતિ, પ્રમાદ અને મન, વચન, કાયાના યોગ - આ ચાર આસ્રવ જ્યારે રાગદ્વેષના સહાયક - સહયોગી બને છે ત્યારે કમર્સિવમાં નિમિત્ત બને છે. પ્રશમરતિ’માં ભગવાન ઉમાસ્વાતિએ કહ્યું છે - मिथ्यादृष्ट्यविरमण-प्रमाद योगास्तयोर्बलं दृष्टम् । तदुपगृहीतावष्टविध कर्मबन्धस्य हेतू तौ ॥ ३३ ॥ મિથ્યાત્વ આદિ સહાયક મંડળને સહારે રાગદ્વેષે (કષાય) આત્મભૂમિને. ભયજનક - ડરામણું જંગલ બનાવી રાખ્યું છે. એકલા રાગ અને દ્વેષ કર્મોના આસવ.. કર્મબંધનના હેતુ બની શકતા નથી. આ સહાયક મંડળના જોરે એમનું અસ્તિત્વ ટક્યું છે. સહાયક મંડળ ન હોય તો કદાચ રાગદ્વેષ પણ ન હોય. કષાયોનાં મૂળ: જ્યારે કષાય-આંસવની વાત કરવી છે, તો કષાયોનાં મૂળ પણ સમજી લેવાં જોઈએ. કષાયોને આત્મભૂમિમાંથી ઊખેડીને ફેંકી દેવા માટે તેના મૂળનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. કષાયોને મૂળમાંથી નષ્ટ કરી નાખ્યા પછી તેમનો ફરીથી ઉદ્ભવ શક્ય નથી. કેટલોક સમય ક્રોધ ન કરવાથી, માયા અને લોભ ન કરવાથી કામ નહીં પતે. માત્ર કષાયોનો ઉપશમ કરવાથી આત્મા અકષાયી નહીં બની શકે. એનાં તો મૂળિયાં જ ઊખાડી નષ્ટ કરી નાખવાં પડશે. એટલા માટે જ ભગવાન ઉમાસ્વાતિજીએ કષાયોનાં જડમૂળ બતાવ્યાં છે - મમકાર અને અહંકાર. - “ममकारराहंकारावेषां मूलं पदद्वयं भवति ।" માયા અને લોભનું જડમૂળ છે - મમકાર, ક્રોધ અને માનનું જડમૂળ છે - ૧૦૪ [ | શાન્તસુધારસ : ભાગ ૨ |
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy