SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ બીજો - અવિરતિઃ બીજો આસવ છે ‘અવિરતિ’ નામનો. અવિરતિ એટલે દોષોમાંથી વિરતિ ન થવી. અવિરતિ - અવ્રતના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે. એટલે કે પાંચ પ્રકારના અવતોને કારણે જીવ કમના કાદવમાં ફસાયેલો રહે છે. અવ્રતના પાંચ પ્રકાર આ પ્રકારના છેઃ ૧. હિંસા, ૨. અસત્ય ભાષણ, ૩. ચોરી, ૪. મૈથુન-પ્રવૃત્તિ અને પ. પરિગ્રહ. આજે સંક્ષેપમાં આ પાંચે વ્રતો સમજાવું છું. ૧. હિંસા: પ્રમાદથી થનાર પ્રાણવધને હિંસા કહેવામાં આવે છે. આ જીવોને મારી નાખું.” એવો સંકલ્પ કરવો એ સ્થળ હિંસા છે. “સંકલ્પ' હિંસા છે - કોઈ પણ જીવને એના ઈષ્ટ સ્થાનમાં જતાં રોકવો, બાંધી રાખવો. - ચાબુક યા દોરડા વગેરેથી મારવો - ફટકારવો. - કાન, નાક, ચામડી વગેરે અવયવોને કાપવા - છેદવા. - પશુ યા મનુષ્ય પર એની શક્તિ કરતાં વધારે ભાર વહન કરાવવો. - કોઈના ખાવાપીવામાં અંતરાય ઊભો કરવો. - આ બધા હિંસાના જ પ્રકારો છે. ૨. અસત્ય પ્રમાદથી યા ઇરાદાપૂર્વક મૃષાકથન કરવું એને અસત્ય કહે છે. જે વસ્તુનું અસ્તિત્વ હોય એનો ઇન્કાર કરવો એને અસત્ય કહે છે. જે વસ્તુ જે રૂપમાં હોય, એનાથી જુદી રીતે એનું નિરૂપણ કરવું, એનું નામ છે અસત્ય કથન. વાત , સાચી હોવા છતાં બીજાંના દિલને ઠેસ પહોંચાડે એવી હોય, એને પણ અસત્ય કથન માનવામાં આવ્યું છે. જેમ કે - - સાચીખોટી વાતો કરીને કોઈને ખોટી સલાહ આપવી. - રાગદ્વેષથી પ્રેરિત થઈને પતિ-પત્ની, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર વગેરેને અલગ કરવા, એમની સાચી પણ ગુપ્ત વાત પ્રકટ કરવી, ખોટા આરોપ લગાડવા, ખોટું નાણું છાપવું, ખોટી સહીઓ કરવી, બનાવટી દસ્તાવેજ કરવા, ખોટી નોટો છાપવી, ખોટાં નિશાન કરવાં. - કોઈની પણ મિલકત પચાવી પાડવી. - પરસ્પરના સંબંધો તૂટી જાય એ ઇરાદાથી એકબીજાની ચાડીચુગલી કરવી, કોઈની ગુપ્ત વાત પ્રકટ કરીને એની નિંદા કરવી. - આ બધી બાબતો બીજા આસવના જ પ્રકારો છે. ૩. ચોરી ચોરી એટલે કે અદાદાન. એને ‘સ્તેય' પણ કહે છે. આપ્યા વગરનું [૧૦૨ " | શાન્તસુધારસ : ભાગ ૨)
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy