________________
ચાર આસ્રવ : મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ :
‘આસ્રવ ભાવનાનું ચિંતન કેવી રીતે કરવું એ તમને બતાવ્યું - સંભળાવ્યું. હવે આસવોનો પરિચય કરાવવો છે. આ ગ્રંથ ઉપર જે પ્રથમ પ્રવચન આપ્યું હતું, એમાં પાંચ આસવોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. ગ્રંથકારે પ્રથમ શ્લોકમાં જ પંચાક્રવારે કહ્યું છે. “આ ભવ વનમાં પાંચ આગ્નવોનાં વાદળો વરસે છે” એમ કહ્યું છે. અહીં આ આસ્રવ ભાવનામાં ચાર આસવો બતાવ્યા છે. અહીં ‘પ્રમાદને અલગ નથી બતાવ્યો, એનો સમાવેશ “અવિરતિમાં કરવામાં આવ્યો છે. આસવની વ્યાખ્યા :
‘આસ્રવ ની વ્યાખ્યા આ રીતે કરી છે. આમ તો ‘તત્ત્વાર્થસૂત્રમાં આસવની વ્યાખ્યા થવામનઃ શર્મયોઃ સ માવઃ | કાય, વાફ અને મનની ક્રિયા યોગ છે અને તે જ આશ્રવ છે. વયન્તરાય કર્મના ક્ષયોપમલમથી યા ક્ષયથી તથા પુદ્ગલોના આલંબનથી થનારા આત્મપ્રદેશોના પરિસ્પંદો (કંપન વ્યાપાર)ને યોગ, કહે છે.
આલંબન ભેદથી એના ત્રણ ભેદ છે - કાયયોગ, વચનયોગ અને મનોયોગ. ઔદારિકાદિ શરીરવર્ગણાનાં પુદ્ગલોના આલંબનથી પ્રવર્તમાન યોગ કાયયોગ’ બને છે. મતિજ્ઞાનાવરણ, અક્ષર-મૃતાવરણ આદિ કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન આંતરિક વચનલબ્ધિ થતાં ભાષાવર્ગણાના આલંબનથી ભાષાપરિણામની અભિમુખ આત્માનો પ્રદેશ - પરિસ્પંદન “વચનયોગ થાય છે. નોઈદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મનોલબ્ધિ થતાં મનોવર્ગણાના આલંબનથી મનઃપરિણામની અભિમુખ આત્માના પ્રદેશ કંપન ‘મનોયોગ થાય છે.
આ ત્રણ પ્રકારના યોગને જ આસવ કહે છે. કારણ કે યોગ દ્વારા જ આત્મામાં કર્મોનું આસ્રવણ થાય છે. જેવી રીતે જળાશયમાં જળનો પ્રવેશ કરાવનાર નાળા વગેરેના મુખ આસ્રવ અર્થાતુ વહનનું નિમિત્ત થવાથી આસવ કહેવાય છે, એ જ રીતે કમસિવનું નિમિત્ત થવાથી આસ્રવ કહેવાય છે. યોગ - શુભ અને અશુભ શુભ યોગ પુણ્યકર્મનો આસ્રવ છે. અશુભ યોગ પાપકર્મનો આસ્રવ છે. કાયયોગાદિ ત્રણે યોગ શુભ પણ છે અને અશુભ પણ છે. યોગના શુભત્વ અને અશુભત્વનો આધાર ભાવનાની શુભાશુભતા ઉપર છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ
[૧૦૦
૧૦૦
| શાનસુધારસ ભાગ ૨)
શાન્તસુધારસ : ભાગ ૨