________________
यथा सर्वतो निर्झरैरापतद्भिः प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवानवैः कर्मभिः संभृतोऽङ्गी, भवेद् व्याकुलश्चञ्चलः पङ्किलश्चः ॥१॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્તસુધારસ' ગ્રંથમાં સાતમી ‘આસ્રવ ભાવનાનો પ્રારંભ કરતાં જણાવે છે કે - જેવી રીતે ચારે બાજુથી વેગથી વહેતાં ઝરણાં તળાવને પૂર્ણતયા ભરી દે છે, એ જ રીતે જીવાત્મા અનેક પ્રકારના આસ્ત્રવોથી ઊભરાઈ જાય છે, આકુળવ્યાકુળ, અસ્થિર અને ગંદો બને છે.
यावत्किञ्चिदिवानुभूय तरसा कर्मेह निर्जीयते, तावच्चामवशत्रवोऽनुसमयं, सिञ्चन्ति भूयोऽपि तत् । हा, कष्टं कथमानव प्रतिभटाः शक्या निरोद्धं मया ? संसारादतिभीषणान्मम हहा ! मुक्ति कथं भाविनी ? ॥२॥ થોડોક પુરુષાર્થ કરીને જલદી જલદીથી કેટલાંક કમ દૂર કરીએ છીએ, એટલામાં તો આસવરૂપ શત્રુ હુમલો કરીને પ્રતિક્ષણ-પ્રતિપળ કમથી આત્માને ભરી દે છે - આ કેવી વિટંબણા છે ? આ આસવોને રોકવા પણ કેવી રીતે ? આ ભયાનક સંસારમાંથી છૂટકારો પણ કેવી રીતે પામવો? मिथ्यात्वाऽविरतिकषाय-योगसंज्ञाश्चत्वारः सुकृतिभिराम्रवाः प्रदिष्टाः । कर्माणि प्रतिसमयं स्फुटरमीभिर्बध्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥३॥
મહામનીષી પુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ નામના ચાર આસ્રવ બતાવ્યા છે. આ આસ્ત્રવો દ્વારા હરપળ, હરક્ષણ જીવાત્મા કર્મોના કાદવમાં ફસાઈ જાય છે અને સંસારની ભૂલભુલામણીમાં ભટકતો રહે છે.
इन्द्रियाऽवतकषाययोगजाः पञ्चपञ्च चतुरन्विताम्रयः । । पञ्चविंशतिरसत्क्रिया, इति नेत्रवेदपरिसंख्ययाप्यमी ॥ ४ ॥
ઈન્દ્રિય- અવ્રત - કષાય અને યોગમાંથી ૪૨ પ્રકારના આસવો ઉત્પન્ન થાય છે - પાંચ ઈન્દ્રિયો, પાંચ અવ્રતો, ચાર કષાયો, ત્રણ યોગ અને ૨૫ અસત્ ક્રિયાઓ. જીવ - સરોવર, આસવ - નીક, કર્મ-પાણીઃ
તમે કદી મુંબઈનાં મોટાં તળાવો - વૈતરણા, તાનસા વગેરે જોયાં છે? વરસાદના દિવસોમાં જ્યારે ચારેકોરથી વહેતાં ઝરણાં વહીને તળાવમાં પડે છે - તે દ્રશ્ય કદી જોયું છે? જો જો કોઈક વાર, અને એ સમયે તમારા જીવાત્માની તુલના કરજો.
જીવાત્મા સરોવર-તળાવ જેવો છે..... એમાં આસ્રવો દ્વારા કમજળ પડતું જ રહે છે. પાણી પડતું હોય છે ત્યારે તળાવ ચંચળ અને ગંદું થઈ જાય છે. આકુળવ્યાકુળ
[
આસવ ભાવના
૯૭ |
૭