________________
ભરત બાહુબલિ આપે લડિયા, આયે સજજધાઈ .. બાર વરસ સંગ્રામ જ કીધો, તો કિહાં રહી ભાતુ સગાઈ ?...૫ ગુરુ ઉપદેશથી રાય પ્રદેશી, સુધો સમકિત પાઈ રે..
સ્વારથવશ સુરકાન્તા નારી, માર્યો પિયુ વિષ પાઈરેક નિજ અંગજના અંગને છેદી, જુઓ રાહુ કેતુ કમાઈ રે, સહુ સહુને નિજ સ્વારથ વહાલો, કુણ ગુરુ કુણ ભાઈ રે? સુલુમ પરશુરામ જ દોઈ મહેમાંહે વેર બનાઈ રે, ક્રોધ કરીને નટકે પહોંચ્યા, કિહાં ગઈ તાત સગાઈ?? ...૮ ચાણક્ય તો પર્વત સાથે કીધી મિત્ર સગાઈ રે, મરણ પામ્યો ને મનમાં હરખ્યો, કિહાં રહી મિત્ર સગાઈ રે?
આ કાવ્યને સમજ્યા ને? સંબંધોની અનિત્યતા, નિઃસારતા સમજવા માટે આટલાં દ્રષ્ટાંતો પર્યાપ્ત નથી શું?
માતા અને પુત્રના સંબંધની અસારતા બતાવવા માટે તેમણે બ્રહ્મદત્ત ચક્રવર્તી અને એની માતા ચલણીનું દ્રષ્ટાંત આપ્યું છે. માતાએ પુત્રને મારવા માટે લાક્ષાગૃહમાં આગ લગાડી હતી. i પિતા અને પુત્રના સંબંધની નિસારતા, અનિત્યતા બતાવવા કવિએ રાજા
શ્રેણિક અને રાજકુમાર કોણિકનું વૃષ્ટાંત આપ્યું છે. - પુત્ર પિતાને કારાવાસમાં નાખીને રોજ હંટરથી મારતો હતો. પતિ અને પત્નીના સંબંધની દારુણતા બતાવતાં કવિએ રાજા પ્રદેશ અને રાણી સૂર્યકાન્તાનું દૃષ્ટાંત આપ્યું છે. રાણીએ રાજાને ઝેર આપીને મારી નાખ્યો હતો. પિતાપુત્રના સંબંધની નિઃસારતા બતાવતાં રાહુ-કેતુની વાર્તા બતાવી છે. પોતાના પુત્રનાં જ અંગોનું છેદન કરનાર પિતાને પિતા કેવી રીતે કહેવાય? સુભમ અને પરશુરામ પરસ્પર શત્રુ બન્યા - બંને નરકમાં ગયા. | ચાણક્ય અને પર્વત મિત્ર બન્યા. પર્વતનું મોત થતાં ચાણક્ય ખુશ થયો હતો. મિત્રનો સંબંધ કેવો અસાર?
કવિ કહે છે કોઈ કોઈનું સગું નથી, સૌને પોતાનો સ્વાર્થ જ પ્રિય છે. કોણ સજ્જન? કોણ દુર્જન ? સ્વાર્થ જ સજ્જન અને દુર્જન બનાવે છે. સ્વાર્થે સજ્જન દુર્જન બને અને સ્વાર્થવશ દુર્જન સજ્જનનો દંભ કરે છે.
અનિત્ય ભાવના
૮૭