________________
ઉપાધ્યાય વિનયવિજયજી સંબંધોની અનિત્યતા બતાવે છે.
मित्र-स्त्री-स्वजनादिसंगमसुखं स्वप्नेन्द्रजालोपमम् ॥ ‘મિત્ર, સ્ત્રી, સ્વજનાદિનું સંગમ - મિલનસુખ સ્વપ્ન જેવું - ઈન્દ્રજાળ જેવું હોય
છે.’
સંસારમાં જો કોઈ વ્યાપક બંધન હોય તો તે સંબંધોનું છે. જીવનો જન્મ થતાં જ માતાનો સંબંધ નિશ્ચિત થઈ જાય છે. માતા માટે પુત્ર યા તો પુત્રીનો સંબંધ બની જાય છે. એ જ રીતે પિતાનો સંબંધ બની જાય છે. આ માતા, આ પિતા' આ સંબંધ સ્નેહથી, રાગથી દ્રઢ થતો જાય છે. થોડાક મોટા થતાં મિત્રોનો સંબંધ બંધાય છે. મિત્રો સાથે રમવાથી, ફરવાથી, ખાવાપીવાથી પણ સંબંધ પાકો થતો જાય છે. પછી યૌવન આવતાં, લગ્ન થતાં પતિપત્નીનો સંબંધ બંધાય છે. પરસ્પર સ્નેહ-રાગ-મોહ વધવાથી આ સંબંધ પણ દ્રઢ થાય છે. આ પ્રકારે ભાઈબહેનનો સંબંધ, ભાઈભાઈનો સંબંધ, મામા-કાકાનો સંબંધ.... સંબંધોની જાળ વિસ્તૃત થતી જાય છે.
સંબંધોની સાથે સંબંધોને નભાવવા માટે કેટલાંક કર્તવ્યોનું પાલન પણ કરવું પડે છે. સંબંધો સારી રીતે ટકાવી રાખવા માટે કેટલુંક આદાન-પ્રદાન કરવું પડે છે. કદાચ તેમાં વત્તાઓછાપણું હોય તો સંબંધ બગડે છે. સંબંધોમાં ધીરે ધીરે સ્વાર્થતત્ત્વનો પ્રવેશ થાય છે, ત્યારે સંબંધ દુઃખદાયી બને છે. સંબંધોમાં દંભ અને કપટ મળી જાય છે ત્યારે કટુ પરિણામ આવે છે. જ્યાં સુધી માતાપુત્રનો, પતિપત્નીનો, ભાઈભાઈનો, ભાઈબહેનનો સંબંધ નિઃસ્વાર્થ રહે છે ત્યાં સુધી તે સંબંધોને પવિત્ર માનવામાં આવે છે.
આ વૃષ્ટિએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' કહેવાયું છે. પરંતુ એ જ સંબંધોમાં સ્વાર્થવૃત્તિ આવી જાય છે ત્યારે દ્વેષ, દંભ, ઈર્ષા આદિ દોષ સંબંધોને અસાર - નિસાર બનાવી દે છે.
તત્ત્વવિજયજી નામના મુનિ કવિવરે એક કાવ્યમાં લખ્યું છે: કેહના રે સગપણ? કેહની માયા, કેદની સજજન સગાઈ રે, સ્વજનવર્ગ કોઈ સાથ ન આવે, આવે આપકમાઈ
૨ ૧ મારું મારું સૌ કોઈ કહે પ્રાણી તારી કોણ સગાઈ રે? આપ સ્વારથ સહુને વહાલો. કુણ સજ્જન કુણ ભાઈ રે?....૨ ચલણી ઉદરે બ્રહ્મદર આયો. જુઓ માત સગાઈ રે. પુત્ર મારણ ને અગ્નિ જ કીધી, લાખનાં ઘર નિપજાઈરે...૩ કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ઝહી દોડે ધાઈ રે કોણિકે નિજ તાત જ હણિયો તો કિહ રહી પુત્ર સગાઈ ?....૪
૮૬
શાન્તસુધારસ : ભાગ ૧