SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલિક સુખના આસ્વાદી, એહ મરમ ન વિ જાણે, જિમ જાત્ય% પુરુષ દિનકરનું તેજ નવિ પહિચાણે. ઇન્દ્રિય-જનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે. પણ કિંયાક તણાં ફળની પરે, નવિ વિપાક તસ જાણે. ફલ કિંપાક થકી એક જ ભવ, પ્રાણ હરણ દુઃખ આવે, ઈન્દ્રિય-જનિત વિષયરસ તે તો ચિહું ગતિ મેં ભટકાવે. એહવું જાણી વિષયસુખ સેંતી, વિમુખ રૂપ નિત રહીએ, ત્રિકરણ યોગે શુદ્ધ ભાવ ધર, ભેદ યથારથ લહીએ. પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો અનિત્ય છે, એવું કહીને જ્ઞાની પુરુષો જીવોને વિષયસુખની આસક્તિ તોડવાની પ્રેરણા આપે છે. વિષયસુખ ભોગવવા જેવાં નથી હોતાં, એ વાતને સારી રીતે સમજાવતાં યોગીશ્રી ચિદાનંદજી કહે છે - - રાત-દિવસ વિષયસુખ ભોગવવા છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થતી. જેવી રીતે અગ્નિમાં ઘી અને મધુની આહુતિ નાખવાથી અગ્નિ શાન્ત ન થાય, પરંતુ વિશેષ પ્રજ્વલિત થાય છે. • જીવ જેમ જેમ વધારે વિષયસુખ ભોગવે છે, તેમ તેમ તેની તૃષ્ણા વધે છે. જેમ કે સમુદ્રનું પાણી પીવાથી તૃષા શાન્ત થતી નથી, પરંતુ વધે છે. I પરંતુ જે જીવોને આ વિષયસુખમાં મજા પડી ગઈ છે, તેઓ આ મર્મને જાણતા ' નથી. જેમ કે જન્માધ મનુષ્ય સૂર્યના પ્રકાશને ઓળખી શકતો નથી, જોઈ શકતો નથી. ઇન્દ્રિયજન્મ વૈષયિક સુખપાન કરનાર સુખપાન કરતી વખતે નથી સમજતો કે તે કિંપાક ફળ’ ખાઈ રહ્યો છે. કિંપાક ખાવામાં મીઠું હોય છે, પણ પરિણામે મૃત્યુ થાય છે! , 1 પરંતુ કિંપાક ફળ ખાવાથી એક જ વાર પ્રાણહરણનું દુઃખ માનવને થાય છે, જ્યારે ઈન્દ્રિયજનિત વિષયસુખ ભોગવતાં ચારે ગતિમાં અનેક વાર જન્મમરણનાં દુઃખ થાય છે. | વિષયસુખોની આ વાસ્તવિકતા જાણીને એ સુખોથી વિમુખ રહેવું જોઈએ. મનવિચન-કાયાથી શુદ્ધ-પવિત્ર ભાવોને ધારણ કરો. વિષયાનંદ અને આત્માનંદનો ભેદ યથાર્થરૂપે સમજી લો. સંબંધ સ્વપ્ન, ઇન્દ્રજાલઃ ઇન્દ્રિયોના વિષયસુખોની અનિત્યતા અને ભયાનકતા બતાવ્યા પછી શ્રી અનિત્ય ભાવના [ ૮૫]
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy