________________
માલવપતિ મુંજ :
જયસોમમુનિ ધનસંપત્તિને પાણીના તરંગો જેવી કહે છે અને સંધ્યાના રંગ જેવી
બતાવે છે.
ધન સંપદ પણ દીસે કારમી છે, જેહવા જલ કલ્લોલ. મુજ સરિખે માગી ભીખડી જી રામ રહ્યા વનવાસ, ઈણે સંસારે સુખ-સંપદાજી
જિસ સંધ્યા-રાગ વિલાસ.. જે રીતે સંધ્યાના રંગ આકાશમાં સ્થિર નથી હોતા, જોતજોતામાં જ વિલીન થઈ જાય છે, એ રીતે સંસારમાં સુખસંપત્તિ જોતજોતામાં જ વિલીન થઈ જાય છે - ચાલી " જાય છે. આ વાતને પુષ્ટ કરવા કવિએ બે પ્રાચીન દૃષ્ટાંતો આપ્યાં છે. એક છે માલવપતિ મુંજનું અને બીજું છે શ્રી રામચંદ્રજીનું !
માલવાનો રાજા મુંજપરાક્રમી હતો, વિદ્વાન્ હતો. પરંતુ એક દિવસે રાજા તૈલપે એને યુદ્ધમાં હરાવ્યો અને તેને બાંધીને પોતાની રાજધાનીમાં લઈ ગયો. કારાગૃહમાં નાખી દીધો. પરંતુ જ્યારે મુંજે કારાગૃહમાંથી ભાગી જવાની યોજના બનાવી આ યોજના તૈલપની બહેન મૃણાલિનીને બતાવી દીધી. કારણ કે મૃણાલિની મુંજ સાથે પ્રેમ કરતી હતી. મૃણાલિનીએ મુંજની યોજના રાજા તૈલપને બતાવી દીધી ! તૈલપે રાજા મુંજને હાથે-પગે બેડીઓ પહેરાવીને હાથમાં ભિક્ષાપાત્ર પકડાવ્યું. પોતાની નગરીમાં મુંજને ઘરઘર ભિખારીનાં રૂપમાં ફેરવ્યો અને પછી હાથીના પગની નીચે કચડાવી મારી નાખ્યો. મુંજનું રાજ્ય ક્યાં રહ્યું? ક્યાં ગયું શરીરબળ? ક્યાં રહ્યાં સુખભવ? તમામ નષ્ટ થઈ ગયું..
બીજું દ્રષ્ટાંત છે શ્રી રામચંદ્રજીનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું - રાજ્યાભિષેકનું અને ચાલ્યા જવું પડયું વનવાસ માટે ! રાજ્ય, વૈભવ અને સંપત્તિનો ત્યાગ કરીને જંગલમાં ફરતા રહ્યા.
ધનસંપત્તિ, રાજ્યસંપત્તિ અને સુખસંપત્તિની અનિત્યતા, અસ્થિરતા અને વિનશ્વરતા બતાવીને એ સંપત્તિ ઉપર મોહ ન રાખવાનો ઉપદેશ આપ્યો છે. મોહમૂઢ ન બનવાની પ્રેરણા આપી છે. ઈન્દ્રિયોનાં વૈષયિક સુખઃ
ઇન્દ્રિયોના પ્રિય વૈષયિક સુખોની અનિત્યતા બતાવતાં ઉપાધ્યાયજીએ કહ્યું
[ અનિત્ય ભાવના '
અનિત્ય ભાવના '