________________
શરીરનો - જીવનનો ધાર્મિક-આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગ કરવાનો છે, પરંતુ અભિમાન કરવાનું નથી. આ શરીર, આ જીવન ગમે ત્યારે દગો દઈ શકે તેમ છે. જો તેના પ્રત્યે લગાવ હશે. મમત્વ હશે, તો દુઃખી-દુઃખી થઈ જશો. એટલા માટે સૌપ્રથમ શરીર - જીવનની પ્રતિદિન ક્ષણિકતા, અનિત્યતાનું ચિંતન કરવાનું કહ્યું છે.
શરીરની, આયુષ્યની અને જીવનની ક્ષણિકતા, અનિત્યતા સમજવા માટે બીજા કવિઓએ પણ કેટલીય કાવ્યરચનાઓ કરી છે. એક કવિ જયસોમે ગાયું છે કે -
કિહાં લગે હું ધવલહરા રહે જી જલ-પરપોટા જોય, આખું અથિરતિમ મનુષ્યનું જી, ગર્વ ન કરશો કોય,
જે ક્ષણમાં ખેરુ હોય. અતુલ બલ સુપર જિનવર જિસ્માજી ચક્રી હરિબલ જોડી
ન રહ્યા અણે જુગ કોઈ થિર થઈજી. | સુરનર ભૂપતિ કોડી. અનિત્યતાનું દ્રષ્ટાંત આપતાં કવિએ કહ્યું છે કે -
ધવલતાને હરનાર ધુમાડો ક્યાં સુધી રહે છે? અને પાણીના પરપોટા ક્યાં સુધી ટકે છે? જીવનું આયુષ્ય એવી જ રીતે ક્ષણિક છે, એટલા માટે અભિમાન ન કરો. ક્ષણમાત્રમાં શરીર રાખ (ખેરુ) થઈ જશે. તમારું અભિમાન નષ્ટ-વિનષ્ટ થઈ જશે.
અતુલ બલવાળા ઈન્દ્ર અને તીર્થકરો પણ આ સંસારમાં સ્થિર રહ્યા નથી. ચક્રવર્તી અને બળદેવ પણ સ્થિર નથી રહ્યા! દેવ-દેવેન્દ્ર, રાજા અને સમ્રાટ કરોડોની સંખ્યામાં થઈ ગયા. તે બધા આયુષ્ય પૂર્ણ કરીને ચાલ્યા ગયા. તારે પણ એક દિવસે જવાનું છે, એટલા માટે આયુષ્ય, શરીર અને જીવનના વિષયમાં અભિમાન ન કર. અનિત્યતાનું ચિંતન કરતાં રહેવાથી અભિમાન નહીં રહે અને ખેંચાણ પણ નહીં
રહે.
- આ રીતે ઉપાધ્યાય સકલચંદ્રજીએ પણ અનિત્યાદિ ભાવનાઓને કાવ્યમાં ઉતારી છે. ખૂબ જ ભાવપૂર્ણ રચના કરી છે. સાંભળો, અનિત્ય ભાવનાનો પ્રારંભ . તેમણે કઈ રીતે કર્યો છે?
મુંઝ મા. મુંઝ મા. મોહમાં મુંઝ મા, શબ્દવર સર્ણ રસ ગંધ દેખી, અથિર તે અથિર તું અથિર તનુ જીવિતે, સમજ મન ગગન હરિ ચાપ પેખી.
અનિત્ય ભાવના