________________
આયુષ્ય હશે, એટલું જ શરીર ટકશે. શરીરની સ્થિતિ કહો અથવા તો જીવનની સ્થિતિ કહો! અથવા “આયુષ્ય કર્મ કહો. આયુષ્ય કર્મ પૂર્વજન્મમાં બાંધીને જ જીવ અવતરે છે. તેને ખબર નથી હોતી કે કેટલા દિવસોનું, કેટલા મહિનાઓનું, કેટલાં વર્ષનું આયુષ્ય લઈને તે આવ્યો છે.
આયુષ્ય પૂર્ણ થઈ જતાં જીવન પૂર્ણ થઈ જાય છે. આયુષ્ય અચાનક પૂર્ણ થાય છે. શરીરનો નાશ થઈ જાય છે. એટલા માટે તો શરીરને ક્ષણભંગુર કહ્યું છે અને ચંચળ પણ કહ્યું છે. આયુષ્યને જળતરંગ જેવું ચંચળ બતાવ્યું છે. વાયુના સરકવાથી સમુદ્રના તરંગો કેવા ચંચળ બની જતા હોય છે? કંઈક વાર જોજો અને આયુષ્યની ચંચળતાનું દર્શન કરો. ઉપાધ્યાયજીએ એવું દર્શન કરીને જ ગાયું છે ,
आयुर्वायुतरत्तरंगतरलं, लग्नापदः संपदः, सर्वेऽपीन्दिय-गोचराश्चटुलाः संध्या-रागादिवत् । मित्र-स्त्री-स्वजनादिसंगमसुखं स्वप्नेन्द्रजालोपमं,
तत्कि वस्तु भवे भवेदिह मुदा-मालम्बनं यत्सताम् ॥ २ ॥ આયુષ્યની ચંચળતાઃ
જ્યાં સુધી શરીરની સાથે આયુષ્યનો સંબંધ રહે છે, ત્યાં સુધી જીવન’ ટકી રહે છે. આ જ તો જીવન છે ! શરીર અને આયુષ્યના સંબંધ ઉપર જીવન નિર્ભર છે. શરીર આયુષ્ય પર નિર્ભર છે અને આયુષ્ય ચંચળ છે ! અસ્થિર છે! એટલા માટે શરીર અસ્થિર છે, અનિત્ય છે અને એને કારણે આપણું જીવન અસ્થિર, ચંચળ અને વિનાશી છે!
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના અંતિમ ઉપદેશમાં કહ્યું છેઃ સંવર્ય નીવિય મા પમાયણ | જીવન અસંસ્કૃત છે. એટલે કે જીવન તૂટે છે, સમાપ્ત થાય છે, ત્યારે કોઈ પણ પ્રકારે તેને બચાવી શકાતું નથી, કોઈ જ બચાવી શિકતું નથી. જીવન સાથે મમત્વ રાખવાનું નથી?
જે ચંચળ હોય, અસ્થિર હોય, તેની સાથે લગાવ - ખેંચાણ રાખવાનું નથી. આકર્ષણ જેવી રીતે નથી રાખવાનું તેવી જ રીતે ગર્વ-અભિમાન પણ રાખવાનું નથી. શરીરનું અપ્રતિમ રૂપ, શરીરનું અતુલ બળ પણ અસ્થિર અને અનિત્ય છે. એની ઉપર કદીય અભિમાન કરવાનું નથી.
૮૦
શાન્ત સુધારસઃ ભાગ ૧ |