________________
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી પ્રથમ અનિત્ય ભાવનાને પુષ્પિતાગ્રા' છંદમાં
ગાય છે ઃ
वपुरिवपुरिदं विदधलीलापरिचितमप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं भवति कथं विदुषां महोदयाय ॥ ७ ॥ શરીરની અનિત્યતા :
ઉપાધ્યાયજી સૌપ્રથમ શરીરની અનિત્યતા બતાવે છે. કારણ કે જીવાત્માને સૌથી વિશેષ પ્રેમ શરીર ઉપર હોય છે. શરીર - આપણું શરીર સૌથી વધારે પ્રિય હોય છે. રાગનું, મમત્વનું, આસક્તિનું મુખ્ય કેન્દ્ર શરીર છે !
-
શરીર કહો, દેહ કહો યા કાયા કહો - બધા જ એકાર્થ છે. શરીપ્રેમ – કાયા માયા અથવા તન-આસક્તિ... ગમે તે કહો; પણ અર્થ એક જ છે અને આ શરીરપ્રેમ જ સર્વ પાપોનું - બધાં દુષ્કૃત્યોનું મૂળ કારણ છે. આ કાયાની માયા જ અશાંતિ, ક્લેશ અને સંતાપોની જનની છે.
અજ્ઞાની મનુષ્ય, મૂઢ જીવાત્મા શરીરને જ આત્મા માને છે. ‘દેહાત્મભાવ'માં જ `જીવે છે. ‘શરીર વિનાશી છે અને આત્મા શાશ્વત્ છે, અવિનાશી છે.’ એ સત્ય તેણે પ્રાપ્ત કર્યું જ નથી. એટલા માટે કોઈ વાર શરીરની વિનાશિતા, ક્ષણભંગુરતા, અનિત્યતાનો વિચાર નથી કરતો. જેમ કે શરીર શાશ્વત્ છે, અવિનાશી છે, એવું સમજીને જીવે છે !
આશ્ચર્ય એ વાતનું છે કે મનુષ્ય પોતાની આંખોથી અનેક શરીરોને બળતાં જુએ છે, જમીનમાં દટાતાં જુએ છે. પશુઓના ભક્ષ્ય બનતાં જુએ છે, તેમ છતાં ય તે પોતાના શરીરની કરુણતાનો વિચાર કરતો નથી, અને જ્યારે એ ક્ષણ સામે આવે છે - શરીરની વિનાશ-ક્ષણ આવે છે, ત્યારે ભયભીત થઈ જાય છે. ગભરાઈ જાય છે. અતિ દુઃખનો અનુભવ કરે છે.
કોઈ માસુમ બચ્ચાંનું મૃત્યુ જોઈને, કોઈ તરુણનું મોત જોઈને, “આ શરીર પાણીના પરપોટા જેવું ક્ષણિક છે' એવો વિચાર કેમ નથી આવતો ? ભલે ને શરીર યૌવનના ઉન્માદથી ઉન્મત્ત હોય, બળવાન હોય, છતાં પણ એક ક્ષણમાં તે માટીમાં મળી નથી જતું ? સંસારમાં આવાં દૃશ્ય શું દેખાતાં નથી ? છતાં પણ મૂઢ જીવાત્માનો શરીરનો મોહ તૂટતો નથી, એ મોટું આશ્ચર્ય છે. એટલા માટે જ્ઞાનીપુરુષોએ સર્વપ્રથમ શરીરની અનિત્યતા - શરીરની ક્ષણભંગુરતા બતાવી છે.
શરીરનો સંબંધ આયુષ્ય સાથે ઃ
શરીર ટકી રહેવું એ જીવાત્માની ઇચ્છા ઉપર નિર્ભય નથી. જીવાત્માનું જેટલું
અનિત્ય ભાવના
૭૯