SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને નિશ્ચિત રૂપે ખબર પડે કે આપણાથી કોઈ વધારે સુખી અને ઓછો દુખી છે, એનું જ પોટલું લેવું જોઈએ. જો વધારે દુઃખી માણસનું પોટલું હાથમાં આવી ગયું તો શું થશે? એટલામાં તંબુમાં પ્રકાશ પડ્યો. સૌએ ઊભા થઈને પોતપોતાનાં જ પોટલાં ઉપાડી લીધાં. જાણેલાં દુઃખ વધારે સારાં હોય છે. સુખ તો ક્ષણભંગુર જ હોય છે. સમય જતાં જેમાં સુખની કલ્પના બાંધી હતી તે દુઃખ આપવા લાગે છે. સુખ અને દુઃખ માત્ર મનની જ કલ્પના હોય છે. મન જો તેમાં ગુંચવાયેલું રહેશે તો આધ્યાત્મિક વિકાસયાત્રા નહીંથઈ શકે. એટલા માટે સુખ-દુઃખને પોતપોતાનાં કમના ઉદય પર છોડીને મનને ભાવનાઓના ચિંતનમાં જોડી દેવું એ શ્રેયસ્કર છે. ઉપસંહાર: આજ આ ગ્રંથની પ્રસ્તાવનાના આઠ શ્લોકોનું વિવેચન પૂર્ણ થયું. પ્રસ્તાવનામાં ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજે ભાવનાઓની ઉપાદેયતા સારી રીતે સમજાવી છે. ભાવનાઓની મનુષ્ય જીવનમાં કેટલી આવશ્યકતા છે, તે હવે આનાથી વધુ સમજાવવાની જરૂર છે ખરી? તમે વિદ્વાન્ હો, તપસ્વી હો, પરમાત્મ-ભક્ત હો, શ્રાવક હો યા સાધુ હો, તમે ગમે તેટલાં કાયાક્લેષ સહન કરનારા હો, પરંતુ જો તમારા અંતઃકરણમાં આ ભાવનાઓ નહીં હોય તો તમે શાન્તિ, સમતા અને સમાધિ પ્રાપ્ત નહીં કરી શકો. દુષ્ટ વિચારોથી, ગંદા વિચારોથી તમે બચી નહીં શકો.... આત-રૌદ્ર વિચારો આગ જેવા છે. આ આગ વિવેકાને સળગાવી દે છે. વિષયલોલુપતા જતી નથી તો પછી સમતા કેવી રીતે અંકુરિત થઈ શકે ? સમ્યગુજ્ઞાનના અભ્યાસથી મનને ઉન્નત કરતા રહો અને વિવેક-અમૃતની વૃષ્ટિથી અંતઃકરણ મૃદુ-કુમળું અને સુશોભિત કરતા રહો. આવા અંતઃકરણમાં ભાવનાઓ રહેશે અને અલૌકિક પ્રશમસુખનો અનુભવ કરાવતી રહેશે. તમે સૌ એવા અનુત્તર - સર્વોત્તમ - લોકોત્તર સુખનો અનુભવ કરતા રહો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. શક્તસુધારસઃ ભાગ ૧| શાન્ત સુધારસ: ભાગ ૧ __ ૭૭]
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy