SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મનનો છે ! શરીરથી તું સંન્યાસી હતો, પરંતુ તારા મનમાં શું હતું ? શું તારું મન વેશ્યાના ઘરમાં થઈ રહેલા નાચ-ગાનમાં અને આનંદમાં આકર્ષિત ન હતું ? ‘મારું જીવન કેટલું ની૨સ વ્યતીત થઈ રહ્યું છે અને આ વેશ્યા કેવી મજા લઈ રહી છે ?’ પરંતુ તને ખબર છે કે વેશ્યાની માનસિક સ્થિતિ કેવી હતી ? એ વેશ્યા તો - તારા સંન્યાસી જીવનમાં જે શાન્તિ અને અપૂર્વ આનંદ દેખાતો હતો, તે પામવા માટે વિચારોમાં ખોવાયેલી રહેતી હતી ! રાત્રે જ્યારે તું ભજન ગાતો અને પ્રાતઃકાળમાં મધુ૨ મંગલ શ્લોકો ગાતો ત્યારે વેશ્યા પ્રભુમય બની જતી અને ભાવવિભોર થઈને આંસુ વહેવડાવતી હતી. એક બાજુ તું સંન્યાસી હોવાના અહંકારને પુષ્ટ કરતો હતો જ્યારે બીજી બાજુ વેશ્યા પોતાના પાપી જીવનના પશ્ચાત્તાપથી વિનમ્ર બનતી હતી. તું તારા જ્ઞાનથી ગર્વિષ્ઠ થતો જતો હતો જ્યારે તે વેશ્યા પોતાના અજ્ઞાનના બોધથી સરળ અને શુદ્ધ બનતી જતી હતી. પરિણામસ્વરૂપ તારું વ્યક્તિત્વ અહંકા૨૫ર્ણ બન્યું અને વેશ્યાનું વ્યક્તિત્વ અહંકારશૂન્ય બનતું રહ્યું. વેશ્યાના ચિત્તમાં ન હતો અહંકાર, ન હતી વાસના. મૃત્યુના સમયે તેનું ચિત્ત પરમાત્માની પ્રાર્થનામાં લીન હતું. સંન્યાસી મૌન રહ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે, પરમ સત્યની પ્રાપ્તિ માત્ર બાહ્ય ધર્મક્રિયાઓ દ્વારા નથી થતી. બાહ્ય ધાર્મિક આચરણોથી આધ્યાત્મિક લાભ નથી થતો. આધ્યાત્મિક ઉન્નતિ ભીતરમાં થાય છે. આંતરિક ચેતનાકેન્દ્રને પકડવું પડે છે. ભાવનાઓના નિરંતર મનન-મંથનથી આંતરિક ચેતનાકેન્દ્ર ખૂલી જાય છે અને અપૂર્વ આનંદની અનુભૂતિ થાય છે. સુખ અને આનંદ ક્યાં છે ? : ઉપાધ્યાયજી મહારાજ કહે છે ઃ ‘સમ્યજ્ઞાનના અભ્યાસથી ઉન્નત અને વિવેકઅમૃતની વૃષ્ટિથી સુશોભિત અને મૃદુ બનેલા અંતઃકરણમાં આ સુંદર ભાવનાઓ રહે છે. આ ભાવનાઓ જ અલૌકિક સુખ અને આનંદ પેદા કરે છે. આનો અર્થ તમે લોકો સમજ્યા ? સુખ અને આનંદ ભીતર - અંતઃકરણમાં શોધવાનાં છે. ભીતરમાં પેદા કરવાનાં છે, બાહ્ય વિશ્વમાં નહીં. આ ભાવનાઓ જ ભીતરમાં સુખ અને આનંદ પેદા કરે છે ! એટલા માટે જે પ્રબુદ્ધ માણસો સદાય આ ભાવનાઓના માધ્યમથી વિચાર-ચિંતન-મનન કરે છે, તે સદૈવ સુખી અને આનંદિત રહે છે, તે કદી દુઃખી અને અશાન્ત બનતા નથી. આ વાત એક કથા દ્વારા કહીને સમજાવું. એક દિવસે એક ગામમાં પ્રભાત થતાં એક આકાશવાણી સંભળાઈ. એવી શાન્તસુધારસ ઃ ભાગ ૧ ૭૩
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy