SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઊઠાવી સહન કરી તે યોગ્ય અને ઉચિત છે? વગર વિચાર્યું - સમયે દોડતા રહેશો તો ત્યાં પહોંચીને માલુમ પડશે કે આ પામવા માટે દોડવું જરૂરી ન હતું. અને વાસ્તવમાં જ્યાં પહોંચવા ઈચ્છતા હતા ત્યાં પહોંચ્યા જ નથી. જ્યાં હતા ત્યાં ને ત્યાં જ છો! આવી ભૂલો આપણા જીવનમાં ન થાય તેને માટે સાવધાન રહેવું જોઈએ. નહીંતર જીવતર નકામું થઈ જશે. આયુષ્ય અતિઅલ્પ છે, શક્તિ મર્યાદિત છે અને સમય ખૂબ ઓછો છે. એટલા માટે તો સજાગ રહીને જીવવું રહ્યું. બધા જ દોડી રહ્યા છે. મનથી. તનથી દોડી રહ્યા છે. મને લાગે છે આ બધી અંધદોડ છે. કોઈ ગંતવ્ય સ્થાન જાણતા જ નથી. બધા જ ભાગતા જઈ રહ્યા છે. બધા જ આપણેય ભાગી રહ્યા છીએ. ન તો મનની ચિંતા છે, ન તનની ચિંતા !! જે કંઈ મેળવવું છે એ આપણી અંદર જ છે. આપણાં અંતઃકરણમાં છે. અંતઃકરણને શુદ્ધ, મૃદુ અને સુશોભિત રાખવાનું છે. ત્યાંથી જ આત્માથી પરમાત્મા સુધીની પ્રાપ્તિ થાય છે. એટલા માટે અંતઃકરણમાં ભાવનાઓને વિકસિત કરવાની છે. વિવેક-અમૃતની વર્ષોથી જ આ કામ થઈ શકશે. એ જ વિવેક છે કે ધન, યશ, પ્રતિષ્ઠા પાછળ દોડવાનું બંધ કરીને જ્યાં છીએ ત્યાં સ્થિર બનીને ધ્યાનમગ્ન થઈને પોતાની અંદર જોવું. ભીતરમાં અશુભ, તુચ્છ, અસાર વિચારોનો કચરો દેખાતો હોય તો તે કચરાને બહાર ફેંકી દો અને ચિત્તની ઉપર શુભ ભાવનાઓની વર્ષા કરો. અનિત્ય ભાવનાથી શરૂ કરીને બોધિદુર્લભ સુધીની ભાવનાઓની અને મૈત્રીભાવનાથી પ્રારંભીને માધ્યચ્ય ભાવનાઓની અમૃતવર્ષ કરતા રહો. તમારું ચિત્ત, તમારું અંતઃકરણ પ્રસન, શીતળ અને આનંદપૂર્ણ બની જશે. ધર્મક્રિયાઓની સાથે ઘર્મધ્યાન આવશ્યક તમે તમારા ચિત્તમાં કેન્દ્રિત થાઓ. માત્ર બાહ્ય ધર્મક્રિયાઓ કરીને સંતોષ ન માની લો. વીતી ગયેલા અનંત જન્મોમાં ધર્મક્રિયાઓ અનંત વાર કરી. પરંતુ આપણો પ્રવેશ મોક્ષમાં ન થયો. આપણે સંસારમાં જ ભટકતા રહ્યા છીએ. જન્મમરણ પામતા જ રહ્યા. આ વિષયની એક ઉપનય કથા સંભળાવું છું. એક વાર મોક્ષના દ્વારે મોટી ભીડ જામી હતી. બધા જ માનવો હતા. સૌને મોક્ષમાં જવું હતું. પરંતુ દ્વારરક્ષક દ્વાર ખોલતો ન હતો. કેટલાક પંડિતોએ, વિદ્વાનોએ આગળ આવીને કહ્યું: “અમે જ્ઞાની છીએ, અમે હજારો શાસ્ત્રો વાંચ્યાં છે, લાખો લોકોને ધમપદેશ આપ્યો છે, અમારે મોક્ષમાં જવું છે, દ્વાર ખોલી નાખો.' એક દ્વારપાળે કહ્યું: ‘અહીં શાસ્ત્રોનું મૂલ્ય નથી; અનુભવનું મૂલ્ય છે. જનોપદેશનું મૂલ્ય [ ૭૦ પ્રસ્તાવના
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy