________________
શોભા ત્યારે જ સુરક્ષિત રહેશે કે જ્યારે આર્ત-રૌદ્રધ્યાન નહીં હોય.
ગંદા, દુષ્ટ અને અધમ વિચારવાળા મનુષ્ય અવિવેકી બની જાય છે. સંસાર વ્યવહારમાં પણ અવિવેકી -મદિાભ્રષ્ટ બની જાય છે.
અંદાજે ૪૦ વર્ષ જૂની એક ઘટના મને યાદ આવે છે. મુંબઈમાં અમારું ચાતુમાસ હતું. હું ગોચરી લેવા ગયો હતો. એક ઘરમાં મેં પગ મૂક્યો અને અટકી ગયો. પિતા જમીન ઉપર પડ્યો હતો અને પુત્ર લાતો મારતો હતો. હું ભિક્ષા લીધા સિવાય નીકળી ગયો. છોકરો શરમાઈ ગયો. એ મારી સાથે મૌન ચાલતો રહ્યો. ઉપાશ્રયે આવ્યો. મેં એને એક શબ્દ પણ ન કહ્યો. ઉપાશ્રયમાં આવીને તે મારી સામે રડી પડ્યો. તે બોલ્યોઃ હું પાપી છું. મને ભયંકર ક્રોધ આવ્યો. મેં પિતાને માર્યા.. તે રડતો જ ગયો. તે વિવેકભ્રષ્ટ થયો હતો ને? વિવેક તો પિતૃભક્ત, માતૃભક્ત બનવાની પ્રેરણા આપે છે. તે તો પિતૃષી બની ગયો હતો ! કારણ કે તેના મનમાં આર્તધ્યાન આવી ગયું હતું, પછી તે સમતા કેવી રીતે રાખી શકે? - એક સાધુ પોતાના ગુરુદેવની સાથે ક્રોધાવેશમાં ઔદ્રત્યપૂર્વક બોલી રહ્યા હતા. ગુરુદેવ મૌન રહીને સાંભળી રહ્યા હતા. સાધુની અનુચિત ઇચ્છા ગુરુદેવ કેવી રીતે પૂર્ણ કરી શકે? કેટલોક સમય બોલ્યા પછી પેલો સાધુ પોતાની જગાએ બેસી ગયો. હું પણ ત્યાં જ બેઠો હતો. બોલનાર સાધુ મારા કરતાં મોટા હતા. ઉપાશ્રયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. હું અડધા કલાક પછી ઊભો થયો અને પેલા સાધુની પાસે ગયો. ઈશારાથી એને એક બીજા ઓરડામાં લઈ ગયો.
હું મૌન રહ્યો. એ સાધુએ જ કહ્યું: “આજે રોષમાં - ક્રોધમાં મેં ગુરુદેવની આશાતના કરી. મેં અવિનય કર્યો - વિવેક ખોઈ બેઠો. મને મારી ભૂલનો ખ્યાલ આવી ગયો. મેં કહ્યું? ગુરુદેવની ક્ષમા માગો, પ્રાયશ્ચિત્ત કરો, તમે તો જ્ઞાની છો. તેમણે કહ્યું હું જ્ઞાની નથી, ઘોર અજ્ઞાની છુંઅશાન્ત છું.... અપરાધી છું.'
પાછળથી તેમણે ગુરુદેવની ક્ષમા માગીને પ્રાયશ્ચિત્ત કર્યું હતું. મેં વિચાર્યું હતું - એ સાધુની વિવેકશોભા નષ્ટ થઈ હતી આર્તધ્યાનથી. ક્રોધ, રોષ, રીસ આવે છે આર્તધ્યાનથી. તે સાધુ શોભાવિહીન બની ગયો હતો. મનુષ્યની શોભા વિવેકથી હોય છે. એ શોભા ટકાવી રાખવા આર્તધ્યાનથી બચતા રહો. પ્રિય-અપ્રિયની કલ્પનાથી મુક્ત રહો. ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાથી મુક્ત રહો. ઉપસંહાર:
ઉપાધ્યાયજી મહારાજ અતિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે - વિષયલોલુપ મનુષ્યના મનમાં સમતાઅંકુર કેવી રીતે પેદા થઈ શકે ? એટલે કે ન જ થઈ શકે. વિષયલોલુપતા જ આર્તધ્યાન છે. પાંચ ઈન્દ્રિયોના અસંખ્ય વિષય હોય છે. કોઈ
પ્રસ્તાવના