SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ એક પ્રસંગ વજસ્વામીના જીવનનો : આવી જ પરંતુ આધ્યાત્મિક - ધાર્મિક ઘટના ભગવાન મહાવીર સ્વામીના ધર્મશાસનમાં આચાર્યશ્રી વજસ્વામીના જીવનમાં બની હતી. વજસ્વામી જ્ઞાની હતા. દૈવીશક્તિના ધારક હતા અને અતિરૂપવાન હતા. એ સમયે એક નગરમાં એક શ્રેષ્ઠી કન્યા રુક્મિણીએ મનોમન સંકલ્પ કર્યો હતો કે ‘હું લગ્ન કરીશ તો વજસ્વામી સાથે જ કરીશ.' તેના પિતા કરોડપતિ હતા. તેમનું નામ હતું શ્રેષ્ઠી ધનાવહ. છોકરી ખૂબ પ્રિય હતી. તેની ઇચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. એ પિતાપુત્રી જાણતાં ન હતાં કે જૈન સાધુ લગ્ન કરતા નથી, સ્ત્રીને સ્પર્શ સુદ્ધાં કરતા નથી. હવે વજસ્વામી એ નગરમાં પહોંચ્યા કે જ્યાં ધનાવહ શ્રેષ્ઠી રહેતા હતા. તેમને અને તેમની પુત્રીને ખબર પડી કે વજસ્વામી નગર બહારના ઉદ્યાનમાં રોકાયા છે, તો શ્રેષ્ઠી પુત્રીને અને કરોડોની સંપત્તિ લઈને વજસ્વામીની પાસે જાય છે. વજ્રસ્વામીને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને ધનાવહ શ્રેષ્ઠી કહે છે : હે સત્પુરુષ, આ મારી દીકરી રુક્મિણી છે. એણે જ્યારથી આપની પ્રશંસા સાંભળી ત્યારથી આપની સાથે લગ્ન કરવા સંકલ્પ કરી બેઠી છે. હું આપને વિનંતી કરું છું કે આપ મારી પુત્રીનો સ્વીકાર કરો અને આ સંપત્તિનોય સ્વીકાર કરો. વજ્રસ્વામીએ મધુર વાણીમાં કહ્યું : ‘મહાનુભાવ, અમે જૈન સાધુ છીએ. લગ્ન ન કરી શકીએ. અમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. અમારું જીવનધ્યેય આત્માની મુક્તિ છે. કર્મબંધનોથી આત્માને મુક્ત કરવા માટે અમારો આંતરસંઘર્ષ ચાલતો હોય છે. જ્યારે આત્મા મુક્ત થશે ત્યારે પૂર્ણ સુખ પ્રાપ્ત થશે. હે શ્રેષ્ઠી, તમારી પુત્રીનો મારા પ્રત્યે જો શુદ્ધ પ્રેમ હોય તો હું જે મુક્તિમાર્ગે ચાલું છું, એ માર્ગ ઉપર એ પણ ચાલે ! પરંતુ મુક્તિમાર્ગ ઉપર ચાલવા માટે વિષયલોલુપતાનો મનવચન-કાયાથી ત્યાગ કરવો પડે છે. રુક્મિણીએ કહ્યું ઃ ‘હે મહાત્મન્, હું આપની સાથે મુક્તિપથ ઉ૫૨ જ ચાલીશ, પરંતુ હું તો અજ્ઞાની છું, અબુધ છું. આપે જ મને મુક્તિમાર્ગ ઉપર ચલાવવી પડશે.’ વજ્રસ્વામીએ રુક્મિણીને દીક્ષા આપી. તે સાધ્વી બની ગઈ. દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનામાં લીન બની અને તેણે શ્રેષ્ઠ સમતાસુખનો અનુભવ કર્યો. વિવેકશોભા સુરક્ષિત રાખો : આપણી વાત છે હ્રદયમાં સમતા-અંકુર પ્રકટ કરવાની, હૃદયમાં વિવેક હોય તો સમતા-અંકુર પ્રકટ થાય છે. આર્ત-રૌદ્રધ્યાન વિવેકને નષ્ટ કરી દે છે, એટલે સમતા પેદા થતી નથી. એટલા માટે ઉપાધ્યાયજી કહે છે કે વિવેકશોભા સુરક્ષિત રાખો. એ શાન્તસુધારસ : ભાગ ૧ પ
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy