________________
ને?નાનીમોટી વસ્તુની બાબતમાં, મિત્ર-સ્નેહીના વિષયમાં આવું આર્તધ્યાન ચાલતું રહે છે. બસ, આ જ આર્તધ્યાનની આગ ભીતરને બાળતી રહે છે. જો અંદરથી બળવું ન હોય તો આર્તધ્યાન ન કરો. પ્રિય-ઈષ્ટ સંયોગ-વિયોગના વિચારો ન કરો.
૩. ઈષ્ટની જેમ અનિષ્ટ પણ હોય છે, અપ્રિય પણ હોય છે. મનુષ્યના જીવનમાં કેટલુંક અનિષ્ટ-અપ્રિય લાગેલું જ હોય છે. એ ભલે ન ઇચ્છે તો પણ થતું હોય છે. જેતે ઈચ્છતો નથી તેનો તે વિયોગ ઇચ્છે છે - “આ અપ્રિય ચાલ્યું જાય તો સારું! આ અનિષ્ટ ચાલ્યું જાય તો સારું.’ આવી ઇચ્છા થતી રહે છે. કેટલાંક ઉદાહરણોથી સ્પષ્ટ
- પતિને પત્ની અનિષ્ટ છે, અપ્રિય છે. તે પત્નીનો વિયોગ ઈચ્છે છે. - પત્નીને પતિ અપ્રિય છે, તે પતિનો વિયોગ ઈચ્છે છે. - શેઠને નોકર અપ્રિય છે, તે નોકરને નોકરીમાંથી કાઢી મૂકવા ઈચ્છે છે. - છોકરાને માતાપિતા અપ્રિય છે, એ તેમને જુદાં કાઢવા માગે છે.
- કોઈને ઘર અનિષ્ટ લાગે છે, તે ઘર છોડવા માગે છે. . આ રીતે અનેક નાનીમોટી વસ્તુઓ હોય છે કે છોડવા ચાહતા હોવા છતાં છોડી
શકાતી નથી. કેટલીક વ્યક્તિઓને છોડવા ચાહીએ પરંતુ છોડી શકતા નથી. છોડવા માટે યા છૂટવા માટે જે જે વિચાર કરવામાં આવે તે આર્તધ્યાન છે, અને આર્તધ્યાન ભીતરમાં જલન પેદા કરે છે - આગ પેદા કરે છે. શાન્તિને, વિવેકને સળગાવી દે છે.
૪. મનુષ્ય અનિષ્ટ-અપ્રિયની કલ્પના કરે છે. કદીક કોઈ અનિષ્ટ થઈ ગયું તો? અપ્રિય થઈ જશે તો?” આવી કલ્પનાઓ કરવી એ પણ આર્તધ્યાન છે. માણસ આવી કલ્પનાઓ કરતો રહે છે. - પૈસા ચાલ્યા જશે તો? ' - શરીરમાં રોગ પેદા થશે તો? - સ્વજનો છોડીને ચાલ્યાં જશે તો? - ચોરી થઈ જશે તો? -- કોઈ કલંક આવી પડશે તો? આવા વિચારો પણ આર્તધ્યાન જ છે. આવા વિચારો મનની શાન્તિ નષ્ટ કરે છે. આવા વિચારો મનની પ્રસન્નતાને જલાવી દે છે, આવા વિચારો વિવેકને સળગાવી
છે.
રૌદ્રધ્યાન:
આર્તધ્યાનથી આગળ વધી જાય છે રૌદ્રધ્યાન. હિંસાના, મૃષાના, ચોરીના, | શાન્ત સુધારસઃ ભાગ ૧
( ૬૧ |