________________
માની લો કે મેં કોઈ વ્યસની વ્યક્તિને ઉપદેશ આપ્યો અને તેણે વ્યસનનો ત્યાગ કર્યો. જો હું નિમિત્ત - ઉપાદાનનું તત્ત્વજ્ઞાન સમજતો હોઉં તો મને અભિમાન નહીં થાય છે. મારા ઉપદેશથી તેણે વ્યસનનો ત્યાગ કર્યો. હું એમ જ સમજીશ કે ઉપાદાન યોગ્ય હતું, એટલા માટે હું નિમિત્ત બન્યો.
એ રીતે મેં ખૂબ સારો ઉપદેશ આપ્યો, તો પણ એ વ્યક્તિએ વ્યસનનો ત્યાગ ન કર્યો, તો હું નિરાશ નહી થાઉં. એ માણસ તરફ મને નફરત પણ નહીં થાય. હું સમજીશ કે એનું ઉપાદાન (આત્મા) યોગ્ય ન હતું, એટલે તે ઉપદેશ ગ્રહણ ન કરી શક્યો.
તમારી સારી વાત પણ સાચી વાત પણ સ્વજન યા મિત્ર-સ્નેહી માનતો ન હોય તો તમને શું થાય છે? ગુસ્સો આવતો હશે? યા તો નિરાશા થતી હશે! ગુસ્સો ય ન કરવો અને નિરાશ પણ ન થવું. ઉપાદાનની યોગ્યતા ન હોય તો એની ઉપર સારા નિમિત્તની અસર પણ નથી થતી.
નિમિત્ત ઉપાદાનની આ વાત સારી રીતે સમજી લો. આર્ત-રૌદ્રધ્યાનથી બચી જશો. ચિત્ત સ્વસ્થ રહેશે. રાગદ્વેષ ઓછા થઈ જશે. સમતાભાવ ટકી રહેશે. દુનિયાથી કોઈ મતલબ ન રહો !?
વિશિષ્ટ જ્ઞાની પુરુષ ઉપાદાનની યોગ્યતા-અયોગ્યતાને સારી રીતે ઓળખી લે છે. યોગ્યતા દેખાય તો જ ઉપદેશ આપે છે, તે સિવાય નહીં. એ વયોવૃદ્ધ શૈવપંથી મહંતે માધોજીની યોગ્યતા જોઈ લીધી હશે, ત્યારે તો તેમણે ઉપદેશ આપ્યો, શાલિગ્રામ અને માળા આપી.
આવા કેટલાય પાપી જીવો, અંદરથી યોગ્ય હોવાથી, ઉપાદાનની યોગ્યતા હોવાથી પુરુષોની કૃપાને પાત્ર બની જાય છે અને તેમનામાં સારું પરિવર્તન આવી જાય છે.
સારું પરિવર્તન ત્યારે જ થાય કે જ્યારે સર્વ મોહ-બંધનો તૂટી જાય - ચારે પ્રકારના મોહનાં બંધનો તૂટી જાય. સર્વપ્રથમ મનુષ્યમાં સમત્વ આવી જાય છે. દુનિયા પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. દુનિયા સ્વપ્નવતું દેખાવા લાગે છે.
વિચારોની દુનિયા બદલાઈ જાય છે. વિચારોમાં નથી રહેતા વિકાર, નથી રહેતી ઉત્તેજના. વિચારધારા અંતર્મુખ બની જાય છે. બાહ્ય જગત સાથે તેના સંબંધો તૂટી જાય છે.
ઉપાધ્યાયજીએ આ ગ્રંથના અંતિમ શ્લોકમાં લખ્યું છે કે
પ્રસ્તાવના