________________
- એક મુનિ હતા. મુનિ હતા એટલે તો સ્વજન-પરિજન, વૈભવ-સંપત્તિના ત્યાગી
તો હતા જ! પરંતુ શરીર તો હતું જ. મુનિનું નામ તત્ત્વવિજયજી સમજવાનું. તેમને શરીર ઉપર મોહ હતો, મમત્વ હતું. જ્યારે શરીર અસ્વસ્થ થતું ત્યારે તે વિચલિત થઈ જતાં. એક દિવસ એમના શિષ્ય સેવા કરવામાં ઉપેક્ષા કરી દીધી, તો તત્ત્વવિજયજીનો ક્રોધ આસમાને પહોંચ્યો અને શિષ્યને દંડો મારી બેઠા, એ સમતા ન રાખી
શક્યા. - એક મહાનુભાવને સ્વજન-પરિજન અને શરીરથી મમત્વ ઓછું હતું, પરંતુ ધનસંપત્તિનું આકર્ષણ વધારે પ્રમાણમાં હતું. ધનસંપત્તિની બાબતમાં તીવ્ર રાગદ્વેષ રાખતા હતા, હિંસા કરાવતા અને અસત્ય પણ બોલતા હતા. તેમના
મનમાં સદાય અશાન્તિ જ રહેતી. - હું એક સજ્જનને ઓળખું છું. ધનસંપત્તિનું મમત્ત્વ નથી, શરીર સાથે પણ નહીં,
પરંતુ સ્વજનો સાથે અતિ લગાવ! સ્વજનોમાં પણ પત્ની સાથે ખૂબ જ, એટલા માટે સદેવ અશાન્ત -પરેશાન રહે છે. કારણ કે તેટલું ખેંચાણ પત્નીનું પતિ માટે
ન હતું ! - એક મુનિ છે. એમને ઉપરની ચારે બાબતો સાથે લગાવ નથી, પરંતુ નામથી,
યશ-કીર્તિ સાથે ખૂબ જ લગાવ છે. જાણતાં-અજાણતાં કોઈકે જરાક પણ અપમાન કરી દીધું અથવા નિંદા કરી તો અશાન્ત થઈ જાય છે. ક્રોધી થઈ જાય છે. એમનો સમતાભાવ ચાલ્યો જાય છે. તેમણે જ્ઞાન-તપશ્ચર્યાને યશ-કીતિનું સાધન બનાવી દીધાં છે. એ પોતાના જ્ઞાન અને તપથી સમતા પામી શક્યા નથી. કષાયો વધારી રહ્યા છે. નિમિત્ત અને ઉપાદાનનું તત્ત્વજ્ઞાન :
સભામાંથી માધોજીના જીવનપરિવર્તનમાં - હૃદયપરિવર્તનમાં મુખ્ય નિમિત્ત તો પેલા મહંત જ હતા ને?
મહારાજશ્રીઃ હા, તે જ નિમિત્ત હતા. પરંતુ નિમિત્ત ત્યારે જ અસર કરે, જ્યારે ઉપાદાન યોગ્ય હોય. ઉપાદાનની યોગ્યતા પરિપક્વ હોય છે. જો માધોજીનું ઉપાદાન (આત્મા) યોગ્ય ન હોત તો, પરિપક્વ ન હોત તો, મહંતનું નિમિત્ત કોઈ અસર ન કરત. નિમિત્ત અને ઉપાદાનનું તત્ત્વજ્ઞાન સમજવા જેવું છે.
આ તત્ત્વજ્ઞાનને સમજનારા કદી નિરાશ થતા નથી. કદી કર્તુત્વનું અભિમાન કરતા નથી.
શાન્તસુધારસ : ભાગ ૧
પપ |