SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કામ પણ સરળ બની જાય છે. મોહનું આવરણ તૂટી જવું જોઈએ. પછી બધું જ સંભવ છે, સરળ છે. મૌન કેવી રીતે સરળ બન્યું? બીજી વાત છે મૌનની. માધોજીએ બાર વર્ષ સુધી મૌન ધારણ કર્યું હતું. તમે બાર દિવસ સુધી પણ મૌન ધારણ કરી શકો છો? નહીં જ ને?માધોજીએ સંસારના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. પત્ની ચાલી ગઈ, નેહી-સંબંધી-મિત્ર વગેરે વિમુખ થઈ ગયાં! હવે કોનાથી વાત કરવી? જેનો ચાર વાતોથી સંબંધ તૂટી જાય છે એને કોઈની સાથે બોલવાની આવશ્યકતા રહેતી નથી. – સ્વજનોથી સંબંધ તૂટી જાય; - પરિજનો, મિત્રોથી સંબંધ તૂટી જાય; - વૈભવ, સંપત્તિ, દોલતથી મમત્વ તૂટી જાય અને - શરીરથી સમત્વનો સંબંધ ન રહે...! તો મૌન રહેવું સરળ બની જાય છે. આ ચારે વાતો માધોજીમાં શું ન હતી? ચારે ય વાતો હતી. તે આ દુનિયા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવા માગતા ન હતા. શરીર સાથે પણ મમત્વ બાંધવા ઈચ્છતા ન હતા. જે તૂટી ગયું તે તૂટી ગયું. કહો, તમે લોકો તો શ્રાવક છો ને? સમકિત દ્રષ્ટિ છો ને? આ ચાર વાતોમાંથી કઈ વાત છે તમારા જીવનમાં? સભામાંથી એક પણ નથી ! મહારાજશ્રી તો પણ અભિમાન કેટલું? કઈ વાત ઉપર અભિમાન કરી રહ્યા છો ? આમાંથી એક વાત પણ ન હોવા છતાં અભિમાન કરો છો? તમે ઈચ્છો નહીં તો પણ સ્વજન તમારું મુખ તોડી લે, તમને કેવું લાગશે? તમે ઇચ્છતા નથી તો પણ. પરિજનો-મિત્રો તમારાથી સંબંધ તોડી દે તો શું થશે? તમે ઇચ્છો નહીં તો પણ સંપત્તિ ચાલી જાય તો શું થાય? જરા શાન્તચિત્તે વિચારજો. જો સમતા પામવી હોય તો ચાર પ્રકારનો મોહ તોડવો જ પડશે. ચારે પ્રકારનું મમત્વ તૂટવું જોઈએ? જો આ ચાર બાબતોનું મમત્વ ન તૂટે તો મૌન રહી ન શકે. સમતા ન આવી શકે. ચારમાંથી એક પણ વાતનો મોહ રહે તો પણ સમતા ન ટકી શકે. મેં આવા કેટલાય પ્રકારના લોકો જોયા છે. કેટલાંક ઉદાહરણો આપીને બતાવું. નામ સાચાં નહીં જણાવું. ૫૪ છે આ પ્રસ્તાવના ]
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy