SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આમ તો તે નિરક્ષર હતા, અભણ હતા, પરંતુ સમત્વનો વૈભવ કેટલો મહાન્ હતો? - ધન-માલ લઈને પત્ની ચાલી ગઈ. - લોકોએ ઘરનું છાપરું પણ ન રાખ્યું, - ઘરમાં ન તો કપડાં રહ્યાં, ન પાથરણું રહ્યું કે ન તો કશું ખાવાનું રહ્યું. બધું જ ચાલ્યું ગયું... તો પણ સમત્વ ન ગયું ! કોઈનાય પ્રત્યે રોષ, ક્રોધ ન આવ્યો. આ શું સામાન્ય વાત છે? ના, આ અપૂર્વ અને અસાધારણ વાત છે. - લોકો પાસે કશું જ ન માગવું, ભોજન પણ ન માગવું. - કોઈની સાથે વાત ન કરવી, અને તે પણ બાર વર્ષ સુધી !! સમતાને વ્યાપક અર્થમાં સમજવી પડશે. ન રાગ, નઢેષ, એને કહે છે સમતા. માધોજી પાગલ બન્યા ન હતા, શૂન્યમનસ્ક થયા ન હતાં. મૌન ધારણ કરવા માટે જ મુખમાં શાલિગ્રામ પથ્થર રાખ્યો હતો. જિવા ઉપર વિજય પામવા માટે જ આ ઉપાય કર્યો હતો.. પત્ની ધન-માલ લઈને ચાલી ગઈ તો પત્ની ઉપર ક્રોધ ન આવ્યો, દુર્ભાવ ન થયો. દુઃખમાં નિકટનું સ્વજન ચાલ્યું જાય તો શું થાય? જરા સ્વસ્થ મનથી વિચાર કરો. માત્ર કહાની સાંભળવાથી નહીં ચાલે. આ સત્ય ઘટના છે. આ કળિયુગમાં બનેલી ઘટના છે. એક ડાકુ, એક ચોર, વ્યભિચારી પુરુષના જીવનની આ ઘટના છે! તમે તો સજ્જન છો ને? સદાચારી અને સમજદાર છો ને? કહો, આ રીતે પત્ની ચાલી જાય તો શું થઈ જાય? સભામાંથી ભયંકર ક્રોધ! મહારાજશ્રી લોકો ઘરમાં લૂંટ ચલાવે તો? સભામાંથી તરત જ પોલિસ સ્ટેશને ફોન ! મહારાજશ્રી ઃ શરીરમાં ભૂત, ડાકિની, શાકિની આવી છે એવું સમજીને ભૂવા વગેરે મારવા માંડે તો? સભામાંથી અમે તો દડા લઈને મારવા માંડીએ અથવા બચવા માટે ભાગી જઈએ. મનમાં રોષ...પ્રતિકારની તીવ્ર ઈચ્છા.... વગેરે આવ્યા વગર ન રહે. • આ તો વાત છે. સમતાની વાત કરવી સરળ છે, પણ જીવનમાં સમતાથી જીવવું કપરું છે. સભામાંથી અસંભવ લાગે છે! મહારાજશ્રી સદ્ગુરુના અનુગ્રહથી અસંભવ પણ સંભવ બની જાય છે. મુશ્કેલ શાન્તસુધારસ : ભાગ ૧ પ૩
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy