________________
परिहर परचिन्ता परिवारम् । ચિન્તય નિષમવિજ્ઞાનમ્ ......
એ વાત આવી જાય છે. ‘પરપદાર્થોની ચિંતા છોડી દે અને પોતાના અવિકારી સ્વરૂપનું ચિંતન કર. મોહનું બંધન તૂટતાં જ આ વાત બનશે.
માધોજીના અંતિમ ૧૨ વર્ષમાં આ વાત બની હતી ને ? પોતાના જ સ્વરૂપમાં મસ્ત રહેતા હતા. દુનિયાની કોઈ પરવા ન હતી. જેને જે માનવું હોય તે માને. પાગલ માનવો હોય તો પાગલ માને, જડભરત માનવો હોય તો જડભરત માને. દુનિયા સાથે લેવા-દેવા જ ન હતી. આપણી ઇચ્છા તો હોય છે - દુનિયાથી લેવા-દેવાની. દુનિયા આપણને સજ્જન માને....... સત્પુરુષ માને...... આ આપણી ઇચ્છા !! ઉપસંહાર ઃ
ગ્રંથકાર ઉપાધ્યાયજી બાર ભાવનાઓનું શ્રવણ કરવાની પ્રેરણા આપતાં કહે છે કે “આ ભાવનાઓ છે કે જેમનું શ્રવણ ક૨વા માત્રથી જ મનુષ્યનું મન પવિત્ર થઈ જાય છે. મોહવાસના દૂર થઈ જતાં સમતાભાવ પ્રકટ થાય છે. મહત્ત્વની વાત છે - મોહવાસના દૂર કરવાની.’
મૂળભૂત વાત તેમણે કહી દીધી છે. તેની પહેલાં જે વાત તેમણે..... વિ મવપ્રમઙેવ...વાળી વાત કરી છે તે વાત પણ ત્યારે જ શક્ય બને, જ્યારે મોહવાસના દૂર થઈ જાય. વૈરાગ્ય અને મોહપ્રીતિ - મોહવાસના તૂટ્યા વગ૨ એ સંભવ નથી.
જો કે આ બાર ભાવનાઓ એવી છે અને ઉપાધ્યાયજીએ આ રીતે ગેય કાવ્યોમાં રચી છે, કે સાંભળનારાઓની મોહવાસના નષ્ટ થઈ જાય. પરંતુ સાંભળનારાઓનું ઉપાદાન શુદ્ધ હોવું જોઈએ. નિમિત્ત (આ ગ્રંથ) તો શ્રેષ્ઠ છે જ. યોગ્ય - સુયોગ્ય ઉપાદાન પર આ નિમિત્તની અસર પડશે; એટલે કે એમની મોહવાસના તૂટશે જ.
સભામાંથી : ઉપાદાનની યોગ્યતા પરિપક્વ કરવા શું કરવું જોઈએ ?
મહારાજશ્રી : ત્રણ કામ કરવાં જોઈએ. ત્રણે કાળ પ્રતિદિન ચાર શરણ (અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ)નો સ્વીકાર કરો. દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરો અને સુકૃત્યોની અનુમોદના કરો. ત્રણે વાતોને વિસ્તારથી સમજવી હોય તો ‘પંચસૂત્ર’ ગ્રંથનું વિવેચન વાંચજો. ખૂબ સુંદર ગ્રંથ છે. ઉપાદાનની યોગ્યતા પરિપક્વ કરવા માટે આ ત્રણ વાતો અવશ્ય કરવા જેવી છે.
વિશેષ વાતો આગળ કરીશું. આજે આટલું બસ.
શાન્તસુધારસ : ભાગ ૧
૫૭