________________
જગાએથી હાલ્યો-ચાલ્યો પણ નહીં. એ તો સૌને એકી નજરે જોતો રહ્યો. ન હર્ષ, ન શોક, ન માન-અપમાન, ન મારું-તારું, ન સુખ કે ન દુઃખ.... આવી સ્થિતિ થઈ ગઈ માધોજીની !
એક-બે કલાકમાં તો આખા ગામને ખબર પડી ગઈ કે ‘માધોજીને કોઈક ભૂત વળગ્યું છે. તે નથી બોલતો, નથી ખાતો કે નથી પીતો.’ પીંપળી નાનું શું ગામ હતું. લોકો જંતરમંતર કરવા લાગ્યા. દોરા-ધાગા કરવા લાગ્યા. પીર, જતિ, ફકીર... ભૂવા આવવા લાગ્યા. પરંતુ સૌના ઉપાયો નિષ્ફળ નિવડ્યા. કેટલાક જ્ઞાતિજનોએ વિચાર્યું કે આ માધોજીના ઢોંગ છે. તેને લોકો મારવા માંડ્યા, લાકડીથી મારવા લાગ્યા. તો પણ માધોજી બોલતો નથી, ખાવાનું માગતો નથી, જે સામે આવે છે તેની સામે એકી નજરે જોયા જ કરે છે.
કોઈ એની સામે થાળી ધરે તો રોટલો ખાય છે. એક-બે ટુકડા ખાઈને પાણી પી લે છે. એ એવી રીતે અલગ જીવવા લાગ્યો કે જાણે કોઈની સાથે કોઈ જ સંબંધ ન હોય. નિર્વિકારી, નિષ્કામી બનીને જીવવા લાગ્યો.
એક વર્ષ સુધી આવું ચાલતું રહ્યું. કોઈનો કોઈ ઉપાય કામમાં ન આવ્યો. એની પત્નીનો મોહ પણ છૂટી ગયો. પત્ની દરદાગીના લઈને પિયર ચાલી ગઈ. હવે ઘરમાં માધોજી એકલો જ રહ્યો. આસપાસનાં માણસો તેના ઘરમાં આવતાં અને જે હાથમાં આવતું તે લઈને ચાલતાં થતાં. ઘર ખાલી થઈ ગયું. માધોજીના શરીર ઉપર માત્ર બે વસ્ત્રો જ રહ્યાં.
જે લોકો માધોજીના ઘરમાંથી વસ્તુ ઉપાડીને લઈ જતા અને માધોજી જોતો તો તેમની સામે અટ્ટહાસ્ય કરતો. જેમ કોઈ પાગલ મનુષ્ય હસે એ જ રીતે હસતો. જડભરતના હાસ્ય જેવું હાસ્ય, એના ગુરુ કરતા હતા એવું જ હાસ્ય માધોજી કરતો હતો.
લોકો માધોજીના ઘરનાં બારણાં ઉખાડી ગયા, છાપરું તોડી ગયા; ઘરની માત્ર ચાર દીવાલો જ રહી ગઈ. માધોજી એવા જ ઘરમાં પડ્યો રહ્યો. કોઈ દયાવાન પુરુષ, કોઈ મિત્ર, સ્નેહી થાળીમાં શાક-રોટલી લાવીને માધોજીની સામે મૂકતો તો તે ખાઈ લેતો અને તળાવમાં જઈને પાણી પી લેતો.
મધ્યરાત્રે બહાર આવીને માધોજી અટ્ટહાસ્ય કરતો. ગામનાં સૂતેલાં લોકો જાગી ઊઠતાં. ઘણી વાર ગામની બહાર જઈ અટ્ટહાસ્ય કરતો અને ચાલ્યો જતો. જ્યાં એના ગુરુનો મુકામ હતો તે ત્રણ માઈલ દૂરની ઘડિયાળી તલાવડીના કિનારે જતો. આ ધરતી ગુરુચરણથી પાવન થઈ હતી. જ્યાં માધોજીની મોહાન્ધતા દૂર થઈ હતી. અને સમત્વ પ્રાપ્ત થયું હતું, ત્યાં જઈને માધોજી પૃથ્વી પરની રજ લઈને પોતાને માથે
૫૦
પ્રસ્તાવના