________________
सुमनसो मनसि श्रुतपावना निदधतां द्वयधिका दंश भावनाः ।
यदिह रोहति मोहतिरोहिता-द्भुतगतिविदिता समतालता ॥४॥ સમત્વ પામવાનો નિર્ણય
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે : “બાર ભાવનાઓને હૃદયસ્થ કરો. સાંભળવા માત્રથી આ ભાવનાઓ અંતઃકરણને પાવન કરે છે અને મોહથી આચ્છાદિત સમતા-લતા પુનઃ નવપલ્લવિત થાય છે, મોહનું આચ્છાદન દૂર થાય છે.
તમારા હૃદયમાં જો સમતા પામવાની, સમતાભાવ જાગ્રત કરવાની તીવ્ર ઈચ્છા જાગી હશે અને આત્મભાવને પાવન બનાવવાની ભાવના પેદા થઈ હશે, તો જ તમે મોહના આવરણને દૂર કરવાનો પ્રયત્ન કરશો. બાર ભાવનાઓનું શ્રવણ કરવાના.
મારે સમત્વ પામવું છે, ભલે ને ગમે તે થઈ જાય, મારે સમતાભાવમાં રહેવું છે.' આવો નિર્ણય હોવો જોઈએ તમારા હૃદયમાં. ‘મારે સમત્વનું સુખ પામવું છે. હવે મારે કષાયજન્ય સુખાભાસની જરૂર નથી. આવો આત્મ-સાક્ષિક વૃઢ સંકલ્પ કરવો પડશે. આવા સંકલ્પ વગર સમત્વ પામવું મુશ્કેલ છે. અસંભવ છે. કારણ કે અનાદિકાળથી જીવ કષાયજન્ય સુખાભાસોમાં જ ભ્રમિત થઈને ભટકી રહ્યો છે. સમત્વ પામવાનો પ્રયત્ન જ કર્યો નથી. મોહનું આવરણ દૂર કરવા માટેનો પ્રયાસ જ કર્યો નથી.
આત્માની ઉપર મોહનાં આવરણ પ્રગાઢ થયેલાં છે. મોહનાં આવરણ દૂર કર્યા સિવાય સુખશાન્તિ પ્રાપ્ત ન થઈ શકે. ડાકુ માધોજીનો મોહ દૂર થયો?
પોતાને ઘેર જઈને માધોજી ઘરના ઓરડામાં શાન્તિપૂર્વક બેસી ગયો, જેમાધોજી ક્ષણ વાર પણ શાંતિથી બેસતો ન હતો, જે ક્ષણ વાર પણ સ્થિરતા ધારણ કરતો ન હતો એવો માધોજી ચુપચાપ બેસી ગયો હતો. સૂર્યોદય થતાં તેની પત્નીએ તેને ખભેથી હલાવીને બોલીઃ “ઊઠો, આ રીતે મૂઢ બનીને કેમ બેઠા છો? શું કામ કરીને આવ્યા છો ?' માધોજી મૌન રહ્યો. પત્નીએ બીજી વાર બોલાવવા પ્રયત્ન કર્યો. ત્રીજી વાર કર્યો...માધોજી તો મૌન જ રહ્યો. તેણે માથા ઉપરથી પાઘડી ઉતારી લીધી, પત્નીએ સામે આવીને જોયું. માધોજીની આંખો આકાશ તરફ હતી, તે આકાશ સામે એકીટસે જોઈ રહ્યો હતો. માધોજીની પત્ની ગભરાઈ ગઈ અને ચિત્કાર કરી ઊઠી: “આમને શું થઈ ગયું છે, કોઈ ભૂત...' સ્ત્રીનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકત્ર થઈ ગયાં. સૌએ પોતપોતાની રીતે માધોજીને બોલાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માધોજી ન બોલ્યો. બોલ્યો ય નહીં અને તેની
શાન્તસુધારસ : ભાગ ૧
૪૯