________________
આંતરદ્રષ્ટિથી સમાલોચના કરી જ ન શકે. “સંવર’ તત્ત્વને સમજી શકતો નથી. ઇન્દ્રિયોના વિષયોને તેમજ અસંયમના આવેગોને તે દબાવી શકતો નથી, નિયંત્રિત કરી શકતો નથી. નથી તે સમ્યકત્વને જાણી શકતો, કે ન તો મિથ્યાત્વની દારુણતાને ઓળખી શકતો. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતો રહે છે. આર્ત-રૌદ્રધ્યાનની ભયાનકતાને તો તે જાણતો જ નથી. તે નથી ક્ષમાનમ્રતાની વિશેષતા જાણતો; કે નથી તો સરળતા અને નિલભતાના મહાન લાભને જાણતો. તે મન-વચન-કાયાના અશુભ યોગોમાં, અશુભ પ્રવૃત્તિઓમાં
ગુંચવાયેલો રહે છે. દુર્ગતિના ખોટા માર્ગે તે ચાલતો હોય છે. * જે રીતે મોહાસક્ત જીવ આસ્રવ અને સંવરને જાણતો નથી તેવી જ રીતે તે ‘નિર્જરાને પણ જાણતો નથી. કોઈ કોઈ વાર તે તપ કરી લે છે, પરંતુ મારે ‘કર્મોનો નાશ કરવો છે,’ એ વાત સમજતો નથી. તપ કરવાથી મારી પ્રસિદ્ધિ થશે, મને યશ મળશે, મને મૂલ્યવાન ભેટ મળશે, એવી તુચ્છ વાસનાઓને લીધે તે તપ કરે છે. મોટા ભાગના મોહાલ્વ મનુષ્યો તો શરીરના વ્યામોહને કારણે તપ કરતા જ નથી. એમનો આનંદ માત્ર ખાવાપીવામાં હોય છે. દિવસ-રાત તેઓ ખાતા જ રહે છે. ભક્ષ્યાભઢ્ય ખાધા કરે છે. તપના પ્રભાવને તેઓ જાણતા જ નથી. તપની સદેવ ઉપેક્ષા જ કરે છે. કર્મ...કર્મનાશ, કર્મનિર્જરા જેવા શબ્દોને તેઓ જાણતા જ નથી, મોહનો આ દુસ્પ્રભાવ છે. * મોહથી આક્રાન્ત મનુષ્ય ધર્મ પ્રત્યે ઉદાસીન રહે છે. ધર્મ પ્રત્યે તેના મનમાં શ્રદ્ધા હોતી નથી, પ્રેમ હોતો નથી, તે ધર્મના સુંદર પ્રભાવોને જાણતો નથી, માનતો નથી. ધર્મભાવનાથી પ્રેરિત થઈને ન તો તે દાન આપે છે કે ન તે શીલનું પાલન
કરે છે કે ન તપ કરે છે, કે પછી ન તો સારા વિચારો કરે છે. * મોહાધીન મનુષ્યને અસત્ય પ્રિય લાગે છે. ક્રોધ સારો લાગે છે. માન-સન્માનની
ઝંખના રહે છે. લોભનો સંગ કરે છે. તેને કપટક્રિયા પ્રિય લાગે છે. તે અબ્રહ્મનું સેવન કરે છે. બ્રહ્મચર્યનું પાલન તેને સારું લાગતું નથી, તે સંયમને ઉપાદેય માનતો નથી. મોહાધીન મનુષ્યને કહેવામાં આવે કે ધર્મના પ્રભાવે સૂર્ય અને ચંદ્ર આ વિશ્વ ઉપર ઉપકાર કરવા માટે પ્રતિદિન ઉદય પામે છે, અને ભયાનક તાપથી સંતપ્ત ધરાને શીતળતા આપવા માટે મેઘ વરસે છે, તો તે હસી ઊઠશે. સત્યનો અસ્વીકાર કરી દેશે ! એ એટલું ય નથી માનતો કે ધર્મના પ્રભાવથી જ સમુદ્ર પૃથ્વીને ડૂબાડી દેતો નથી, અને સિંહ વગેરે હિંસક પશુઓ માનવસૃષ્ટિનો નાશ
| શાન્તસુધારસઃ ભાગ ૧
૩ |