________________
તેને પોતાનું માનવાની મૂર્ખતા કરે છે. પરભાવની લાલચમાં ડૂબેલો રહે છે. ઇન્દ્રિયજન્ય આવેગોમાં પરવશ રહે છે. જે પરાઈ વસ્તુ હોય છે તેને પોતાની માનીને વિવિધ પીડાઓને નિમંત્રે છે. * મોહાસક્ત અવિવેકી જીવ પરચિંતા કરતો રહે છે. પરચિંતા કરીને તે સ્વયં દુઃખી થાય છે. કોઈ વાર ઉદાસ તો કોઈ વાર પ્રસન્ન થાય છે. કોઈ વાર નારાજ થાય છે તો કોઈક વાર હર્ષિત થઈ નાચે છે, તો કોઈ વાર શોકથી આઝંદ કરે છે. તે સમજી શકતો નથી કે શું આપણું છે અને શું આપણું નથી. તે કદી વિચારી જ શકતો નથી કે તેણે નરકગતિમાં અને તિર્યંચગતિમાં કેવાં કેવાં ઘોર દુઃખ ભોગવ્યાં છે. તેને કાપવામાં આવ્યો છે, તેનાં સેંકડો-હજારો ટૂકડાઓ થયા છે. તેને બાળવામાં આવ્યો છે. મારવામાં આવ્યો છે. અનંત યાતનાઓ તેણે ભોગવી છે. પરંતુ મોહમૂઢતા તેને વિચાર કરવાં દેતી નથી. * મોહાચ્છાદિત બુદ્ધિવાળો મનુષ્ય પોતાના શરીરની અંદર જોતો નથી. અંદર તો મળમૂત્ર, હાડમાંસ - મજ્જા અને ગંદકી છે. તે જોઈ શકતો નથી. શરીરની આ અશુદ્ધિ -મલિનતા કદી પણ દૂર થઈ શકતી નથી, તે મોહાસક્ત માણસ સમજી શકતો નથી. તે તો વારંવાર સ્નાન કરીને શરીરને સ્વચ્છ બનાવવા પ્રયત્ન કરે છે. ચંદનનો વિલેપ કરીને શરીરને સુવાસિત કરતો રહે છે. તે સમજતો જ નથી કે શરીરની અશુદ્ધિ પાણી યા તો ચંદનથી દૂર થતી નથી. તે સમજી શકતો નથી કે શરીર પોતાની સ્વાભાવિક દુર્ગધને છોડતું નથી. શરીરને ગમે તેટલું સુશોભિત કરો, શણગારથી સજાવો, હૃષ્ટપુષ્ટ કરો... પરંતુ તે પોતાનો સ્વભાવ છોડશે જ નહીં. શરીર સ્વયં તો મલિન છે જ, પરંતુ તેના સંપર્કમાં આવનાર પદાર્થો પણ ગંદા થઈ જાય છે.... આવા શરીરની પવિત્રતા કલ્પવી એ પણ મૂર્ખતા છે, અજ્ઞાનતા છે. મોહમૂઢ મનુષ્ય શરીરના વિષયમાં
સદેવ વ્યગ્ર રહે છે. એને સમતા-સુધાનો સ્વાદ કેવી રીતે આવે ? * મોહમૂઢ મનુષ્ય સમજતો નથી કે તે પ્રતિસમય વિવિધ આસ્રવોથી ભરેલો રહ્યો
છે. આવોથી એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગ અને પ્રમાદોથી તે અસ્થિર-ચંચળ બનેલો છે અને ગંદો છે. કોણ સમજાવે એને કે પ્રતિપળ તેને બાસ્ત્રવો કમથી ભરી દે છે? જ્યારે તે આગ્નવોને જ નથી સમજતો તો પછી આસ્રવદ્વારોને રોકવાની તો વાત જ ક્યાંથી આવે? તે મોહાલ્વ જીવ સમજતો નથી એ આસ્ત્રવોની ગતિવિધિને. આસ્ત્રવોના ૪૨ પ્રકારોને તે જાણતો નથી.
આસ્ત્રવોને રોક્યા વગર સમત્વ કેવી રીતે પામી શકાય? * મોહાસક્ત મનુષ્યને આસવારો બંધ કરવાની વાત કોણ સમજાવે? તે
( ૪
પ્રસ્તાવના
|