________________
सुमनसो मनसि श्रुतपावना, निदधतां द्वयधिका दश भावनाः ।
यदिह रोहति मोहतिरोहिता-द्भुतगतिविदिता समतालता ॥ ४ ॥ શ્રોતા પવિત્ર મનવાળા:
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથની પ્રસ્તાવનામાં કહે છે : “હે પવિત્ર મનવાળા સજ્જનો, સાંભળવા માત્રથી અંતઃકરણને પાવન કરનારી બાર ભાવનાઓને તમારા ચિત્તમાં સ્થાપિત કરો. એનાથી એક મોટો લાભ થશે. મોહાચ્છાદિત થયેલી સમતા-લતા પુનઃ નવપલ્લવિત થશે. મોહનું આચ્છાદન દૂર થશે.”
ઉપાધ્યાયજીએ શ્રોતાઓને કેવું સુંદર સંબોધન કર્યું છે ! સુમનસ - પવિત્ર મનવાળા ! તેમણે શ્રોતાઓના મનની કઈ પવિત્રતા જોઈ હશે? પવિત્રતા જોયા સિવાય તો કેવી રીતે કહી શકે ? તેમણે કહ્યું છે તેથી માનવું પડશે કે તેમણે શ્રોતાઓના મનની પવિત્રતા જોઈ છે. આપણે તો અનુમાન જ કરવું પડશે.
પ્રથમ અનુમાન તો એ છે કે તેમણે શ્રોતાઓમાં ધર્મશ્રવણની અભિરુચિ જોઈ હતી. એકે ધર્મગુરુની પાસે મનુષ્ય જાય છે, ધર્મની વાતો સાંભળવા જાય છે... સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત થવા જાય છે, આ વાત એના મનની પવિત્રતાની સાબિતી છે. ધર્મશ્રવણની અભિરુચિ એ સામાન્ય વાત નથી, સાધારણ વાત નથી - એ વિશિષ્ટ ગુણ છે. ગુણાનુરાગી ઉપાધ્યાયજી આ વિશિષ્ટ ગુણનું વિશિષ્ટ મૂલ્યાંકન કરે છે. આ ગુણવાળાઓને તે પવિત્ર મનવાળા કહે છે. આ બધી રીતે યોંગ્ય છે.
બીજું અનુમાન એ છે કે વક્તા શ્રોતાઓને શ્રવણ-અભિમુખ કરવાના ઉપાયો કરે છે. અનેક ઉપાય હોય છે. એક ઉપાય આ છે કે શ્રોતાઓને પ્રેમથી સંબોધન કરશે. ભલે શ્રોતાનું મન પવિત્ર ન હોય, પરંતુ પવિત્ર બનાવવા માટે કહેવું પડે છેપવિત્ર! છોકરો સારો ન હોય તો પણ માતા પોતાના છોકરાને કહે છે : ‘મારો છોકરો સારો છે. કેમ? તે પોતાના દીકરાને સારો બનાવવા ઇચ્છે છે.
ત્રીજું અનુમાન એ છે કે સાધુપુરુષ શ્રોતાઓને સારા શબ્દોમાં સંબોધન કરતા રહે. આગમગ્રંથોમાં આવાં સંબોધનો વાંચવા મળે છે. તે દેવાપ્પિય.... મહાનુભાવ... ઈત્યાદિ. એ રીતે ઉપાધ્યાજીએ અહીં શ્રોતાઓ માટે “સુમનનો’ શબ્દનો પ્રયોગ કર્યો છે. શબ્દ ખૂબ સારો છે. આત્મનિરીક્ષણ માટે પ્રેરિત કરે છેના શબ્દ. “શું મારું મન પવિત્ર છે ? નિર્મળ છે ?” આધ્યાત્મિક જાગૃતિમાં આત્મનિરીક્ષણ ઉપયોગી તો છે જ, અનિવાર્ય હોય છે.
શાન્તસુધારસ : ભાગ ૧