________________
બીજી વાત એ કે કવિને મહાકવિઓ, કાવ્યજ્ઞો અને કાવ્યપ્રિય શ્રોતા પ્રિય લાગે છે. શાન્તસુધારસ' મહાકાવ્ય છે. શાસ્ત્રીય રાગોમાં એની રચના થઈ છે, તો કાવ્યપાઠ કરનારા મહાકવિનો ઉલ્લાસ વધે છે.
અન્ય વાત એમણે બતાવી શ્રોતા ભવભ્રમણથી થાકેલો વિરક્ત જ જોઈએ, ભવભ્રમણથી ઉદ્વિગ્ન ન થયેલાને આ ગ્રંથ સાંભળવો નિરર્થક છે. હવે મારે સંસારની ચાર ગતિઓમાં ભટકવું નથી, જનમવું-મરવું નથી. એવો નિર્ણય કરનાર વિરક્ત પુરુષ જોઈએ - આ ગ્રંથનો શ્રોતા. ત્રીજી વાત વિનયવિજયજી મહારાજે કરી છેઃ “જે માણસ અનંત સુખ પામવા માટે તત્પર હશે, તે મુમુક્ષુ જ આ ગ્રંથનો શ્રોતા હોવો જોઈએ. અનંત સુખ તરફ એની વૃષ્ટિ ખૂલી ગયેલી હોવી જોઈએ.
આ “શાન્તસુધારસ' ગ્રંથ મારે તમને સંભળાવવો છે. તમારે એ માટેની યોગ્યતા સંપન કરવી પડશે. તમે સમજી ગયા હશો. જો યોગ્યતા ન હોય, પરંતુ ગ્રંથ સાંભળતાં સાંભળતાં પ્રાપ્ત થઈ જાય તો પણ ચાલશે. ભવવિરક્તિ અને મોક્ષાનુરક્તિ - આ બંને વાતો આવી જાય તો જીવન સફળ થઈ જશે. દ્રઢ નિશ્ચયની સાથે જો શ્રવણ કરશો તો આશા છે કે આ બંને વાતો તને પામી શકશો. - આજે બસ, આટલું જ.
| શાના સુધારસઃ ભાગ ૧
૩૭ ]