________________
પ્રશ્નઃ આ મનુષ્ય જીવન પૂર્ણ થતાં ફરીથી શું આપણે તિર્યંચ યોનિમાં... વિભિન્ન યોનિઓમાં પેદા થઈ શકીએ?
ઉત્તરઃ હા, આ જીવનમાં વધારે હિંસાદિ પાપ કરવાથી આપણે નરકમાં, તિર્યંચ ગતિમાં, નિમ્નતર મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકીએ છીએ. ‘નિગોદમાં પણ જઈ શકીએ છીએ. એટલે સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ શકીએ છીએ.
હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે આ પ્રકારે સંસારમાં અનંતકાળથી જન્મમરણ કરતાં થાક્યા છે? જ્યારે આ રીતે ભટકવું નથી એવો આત્મસાક્ષીએ નિર્ણય કરી લીધો છે? સંસાર પ્રત્યે નિર્વેદ પેદા થયો છે ખરો?
ઉપાધ્યાયજી તમારી પાસેથી આ નિર્વેદ ઈચ્છે છે. જો તમારા મનમાં નિર્વેદ હશે તો ‘શાન્તસુધારસ' સાંભળવામાં તલ્લીન બની જશો. તમારો આત્મા સંતૃપ્તિ પ્રાપ્ત કરશે. આ મહાકાવ્યનો એક-એક શબ્દ આત્માને સ્પર્શ કરશે. હવે તમે સમજી ગયા હશો કે ગ્રંથકારે પહેલો પ્રશ્ન કેમ પૂછ્યો છે? અનન્ત સુખને સમજ્યા છો?
ઉપાધ્યાયજીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે તમારું ચિત્ત અનંત સુખ પામવા માટે તત્પર બન્યું છે? અનંત સુખ! અંત વગરનું સુખ. એવું સુખ કે જે એક વાર મળ્યા પછી ચાલ્યું ન જાય, નષ્ટ ન થાય. કદી તે ઓછું ન થાય કે વધારે ન થાય, પરિપૂર્ણ સુખ હોય. એ સુખ મળ્યા પછી કદી કોઈ અન્ય સુખની અપેક્ષા જ ન રહે. અનંત સુખ કહો કે પૂર્ણ સુખ કહો ! એવું સુખ મળી ગયા પછી પ્રાપ્ત કરવાનું કશું જ ન રહે.
અનંત સુખની સાથે અનંત આનંદ જોડાયેલો હોય છે. પૂણનિંદ.. પૂર્ણ સુખ પામવાની તમારા દિલમાં ઇચ્છા પેદા થવી જોઈએ. તત્પરતા હોવી જોઈએ. મારે પૂર્ણાનંદી થવું છે. મારે તો પૂર્ણ સુખ જ જોઈએ છે, એવો તમારો દૃઢ નિર્ણય હોવો જોઈએ.
જ્ઞાનદ્રષ્ટિ ખૂલે તો જ આ વાત શક્ય બને છે. જ્યાં સુધી જ્ઞાનદ્રષ્ટિ ખુલતી નથી ત્યાં સુધી સંસારનાં ક્ષણિક અને વિનાશી સુખોની તૃષ્ણા જાગતી રહેશે. આ સુખો પામવા માટેની લાચારી દેખાતી રહેશે. ક્ષણિક - વિનાશી વૈષયિક સુખોની તૃષ્ણા કાળા સાપ જેવી છે. કૃષ્ણ સર્પ કરડે છે તો કેવી વેદના થાય છે ? વૈષયિક સુખોની વેદના પણ આવી જ હોય છે.
એટલા માટે સંસારનાં વૈષયિક સુખોની તૃષ્ણાને સમાપ્ત કરવાની છે. આ કાર્ય જ્ઞાનવૃષ્ટિથી જ થઈ શકે છે. જ્ઞાનવૃષ્ટિ વૈષયિક સુખોમાં અંદરથી દુઃખનું દર્શન કરાવે છે. જેમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ પાણીમાં ઓક્સિજન અને હાઈડ્રોજનનું દર્શન કરાવે છે, એ જ રીતે સુખોમાં પણ દુઃખદર્શન કરાવશે. એ સુખોની તૃષ્ણા નષ્ટ થઈ જશે. સુખ | ૩૪
પ્રસ્તાવના |