________________
મનુષ્યની ચૌદ લાખ યોનિઓમાં પણ જન્મ-મરણ કર્યાં. નરકની ચાર લાખ યોનિઓમાં જન્મ-મરણ કર્યાં, અને
– દેવોની ચાર લાખ યોનિઓમાં પણ જન્મ-મરણ કર્યાં.
હા, દેવલોકમાં પણ આપણા જીવે દેવત્વ પ્રાપ્ત કર્યું હતું, ત્યાં શ્રેષ્ઠ ભૌતિક સુખો પ્રાપ્ત કર્યાં હતાં, પરંતુ એ સુખ શાશ્વત્ ન હતાં. ત્યાંનો જન્મ સમાપ્ત થતાં ત્યાંનાં સુખ પણ સમાપ્ત થઈ ગયાં. સુખ મળ્યા પછી ચાલ્યાં જાય છે, ત્યારે જીવ ખૂબ જ દુઃખી થઈ જાય છે.
આપણા જીવે ‘એકેન્દ્રિય' અવસ્થાની કેટલી યોનિઓમાં કેટલા જન્મ-મરણ કર્યાં છે તે જાણો છો?
પૃથ્વીકાયની સાત લાખ યોનિઓ છે. – અપ્કાયની સાત લાખ યોનિઓ છે. તેઉકાયની સાત લાખ યોનિઓ છે.
વાયુકાયની સાત લાખ યોનિઓ છે.
સાધારણ વનસ્પતિકાયની ૧૪ લાખ યોનિઓ છે.
-
આ સર્વે યોનિઓમાં આપણા આત્માએ અનેક વાર જન્મ ધારણ કર્યાં છે. જરા શાન્તિથી વિચારજો. સ્વસ્થ દિમાગથી વિચારજો. આવી સમગ્ર જીવસૃષ્ટિમાં આપણે ભટક્યા છીએ, ઘોર દુઃખ પામ્યાં છીએ, અને આજે પણ ભટકી રહ્યા છીએ. હજુ સુધી એવું સુખ મળ્યું નથી કે જે શાશ્વત્ હોય, અવિનાશી હોય.
આમ તો એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય જીવોને સુખ મળતું જ નથી, થોડોક સુખાભાસ મળી જાય તો ઠીક છે. સંશી પંચેન્દ્રિય જીવોને નરકમાં સુખનો અંશ પણ મળતો નથી. તિર્યંચ પંચેન્દ્રિય જીવોને ગાય, ભેંશ, હાથી, ઘોડા આદિ કેટલાંક પશુઓને બાદ કરતાં અન્ય પશુઓને પ્રાયઃ સુખ મળતું નથી. પશુપક્ષીઓને વિશેષ કરીને ‘ભય’ વધારે હોય છે અને જ્યાં ભય હોય છે ત્યાઁ સુખાનુભવ થતો નથી. પક્ષીઓને પણ ભય સતાવતો રહે છે. પાળેલાં પશુપક્ષીઓને પરતંત્રતાનું દુઃખ હોય છે. પરાધીનતા એ મોટું દુઃખ છે ને ?
મનુષ્યોને પણ સુખ કેટલું મળે છે ? વધારે પ્રમાણમાં તો મનુષ્ય દુઃખી જ હોય છે. થોડા માણસો ભૌતિક વૃષ્ટિથી સુખી હોય છે, પરંતુ માનસિક વૃષ્ટિથી દુઃખી હોય છે. ભૌતિક સુખ ક્ષણિક અને વિનાશી હોય છે. એ સુખ પણ સર્વ પ્રકારનાં નથી મળતાં. મનપસંદ નથી મળતાં. કંઈક અધૂરાં મળે છે. પ્રાપ્ત સુખનાં સાધન ગમે ત્યારે ચાલ્યાં જઈ શકે છે.
શાન્તસુધારસ : ભાગ ૧
૩૩