SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જાઉં છું તમારા અનંત ભૂતકાળમાં. આપણે અનંતકાળ “અવ્યવહાર રાશિની નિગોદમાં રહ્યા. ત્યાં આપણે એકેન્દ્રિય હતા. માત્ર સ્પર્શનેન્દ્રિય હતી. ચેતન હોવા છતાં પણ અચેતન જેવા મૂચ્છિત અવસ્થામાં હતા. જેમ જેમ સંસારમાંથી જીવ મોક્ષમાં જાય છે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળીને ‘વ્યવહાર રાશિની નિગોદમાં આવે એવો શાશ્વત નિયમ છે કે “એક જીવ મોક્ષમાં જાય છે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. અનંતકાળથી આ ક્રમ ચાલ્યા કરે છે. નિગોદ અવસ્થામાં જીવોને અતિશય દુઃખ હોય છે. સુખનો રજમાત્ર પણ સ્પર્શ નથી હોતો. ‘વ્યવહાર રાશિની નિગોદમાં પણ દુઃખ જ છે – માત્ર દુઃખ. આપણું સંસાર-પરિભ્રમણ નિગોદથી પ્રારંભાય છે. સૌપ્રથમ આપણે એકેન્દ્રિય હતા, મૂચ્છિત હતા, દુઃખી હતા. પછી બેઇન્દ્રિય જીવ બન્યા. હવે સ્પર્શન અને રસનેન્દ્રિય -બે ઈન્દ્રિયો હતી. મન તો હોતું જ નથી. મન વગરના જીવની સ્થિતિની કલ્પના કરજો. છતાં પણ બેઇન્દ્રિય જીવોને સુખદુઃખની સંજ્ઞા હોય છે. આપણે અનેક વાર બેઈન્દ્રિય જીવ બન્યા. જન્મ, મૃત્યુ કર્યા પછી તેઈન્દ્રિય બન્યા. સ્પર્શ, રસની પછી આપણને ધ્રાણેન્દ્રિય મળી -ત્રણ ઇન્દ્રિયો મળી. તે ઇન્દ્રિય જીવયોનિમાં પણ આપણે અનેક જન્મ-મૃત્યુ કર્યો, દુઃખ સહન કરતા રહ્યા અને પછી ચઉરિદ્રિય જીવયોનિમાં આપણો જન્મ થયો. સ્પર્શ, રસ, ઘાણ પછી ચોથી ચક્ષુરિન્દ્રિય મળી, પરંતુ મન ન મળ્યું. ચઉરિદ્રિયના જન્મોમાં પણ દુઃખ જ દુઃખ પામ્યા. અનેક જન્મ-મૃત્યુ પછી પંચેન્દ્રિય યોનિમાં આપણો જન્મ થયો. , રસ, ઘાણ, ચક્ષુ પછી શ્રવણેન્દ્રિય મળી - કાન મળ્યા. પરંતુ મન ન મળ્યું. પશુપક્ષીની યોનિ મળી. ત્યાં પણ આપણે માત્ર દુઃખ જ ભોગવતા રહ્યા. અંતે આપણને પાંચ ઈન્દ્રિયોની સાથે મન પણ મળ્યું. પરંતુ અવિકસિત મન, નિબળ મન. અહીં સુધી એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, લાખો યોનિઓમાં જન્મ-મરણ કરતા રહ્યા અને દુઃખ ભોગવતા રહ્યા. આ આપણા જ અનંત જન્મોની કથની છે. કેવા કેવા જન્મો આપણે પામ્યા. કેવાં કેવાં ઘોર દુઃખો પામ્યા - આ જ્ઞાનદ્રષ્ટિથી વિચારવાનું છે. મને મળ્યા પછી દુઃખ વધવા લાગ્યાં. સુખના આભાસ મળવા લાગ્યા. - તિર્યંચ - પંચેન્દ્રિયની ચાર લાખ યોનિઓમાં જન્મ-મરણ કર્યો. ૩૨ પ્રસ્તાવના |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy