________________
ભવભ્રમણને સમજો છો??
તમારે ‘શાન્ત સુધારસ’ સાંભળવો છે ને? યોગ્યતા પ્રાપ્ત કરીને સાંભળવાનો છે ને?
સભામાંથી ? ગ્રંથકાર કઈ યોગ્યતાની અપેક્ષા રાખે છે ? તે યોગ્યતા તો અમારામાં નથી.
મહારાજશ્રી અત્યારે યોગ્યતા ભલે ન હોય, પરંતુ યોગ્યતા મેળવવી તો છે ને? યોગ્યતા પામવાનો પ્રયત્ન કરશો તો યોગ્યતાને પ્રાપ્ત પણ કરી શકશો. એટલા માટે સર્વપ્રથમ ભવભ્રમણ'ને સમજવું પડશે. આપણો આત્મા ક્યારથી અને ક્યાં
ક્યાં ભટક્યો છે, એ વાત સમજશો તો તમારું મન સંસાર-પરિભ્રમણથી નફરત કરવા લાગશે. સંસારથી વિરક્ત બનશે. બીજી વાત એ વિચારવાની છે કે આપણો આત્મા સંસારની ચાર ગતિઓમાં કેમ ભટકી રહ્યો છે? આપણે ભટકી રહ્યા છીએ પરંતુ વિચારતા નથી કે શા માટે ભટકીએ છીએ? શું પામવા ભટકી રહ્યા છીએ? I એક પુરુષ થાકીને નિરાશ થઈને બેઠો હતો. એને પૂછવામાં આવ્યું: ‘ભાઈ, તું શા માટે નિરાશ થઈને બેઠો છે?” તેણે જવાબ આપ્યો: ‘મારો પુત્ર ખોવાઈ ગયો છે, એને કેટલાય દિવસોથી શોધી રહ્યો છું...... ભટક્યા કરું છું... થાકી ગયો છું... હવે 'આશા છોડી દીધી છે....!'
- બીજો એક પુરુષ નિરાશાના સાગરમાં ડૂબેલો શૂન્યમનસ્ક થઈને બેઠો હતો, એને પૂછવામાં આવ્યું: ‘ભાઈ, તું શા માટે નિરાશ થઈને બેઠો છે !' તેણે કહ્યું : “આ શહેરમાં વીસ વર્ષથી આવ્યો છું, ખૂબ મહેનત કરી રહ્યો છું.... પરંતુ પૈસા ન મળ્યા. થોડા રૂપિયા મળે છે તો ટકતા નથી. ગરીબનો ગરીબ જ રહ્યો. જેટલાં બજાર છે તે બધાંમાં ધંધો કર્યો... મહેનત કરી... મજૂરી કરી. પરંતુ કશું જ મળ્યું નહીં. શું કરું ? હવે તો મોતની રાહ જોઈ રહ્યો છું.'
આ રીતે આપણો આત્મા પરમ સુખ પામવા માટે અનન્તકાળથી, અનાદિકાળથી સંસારની ગતિઓમાં ભટકતો રહ્યો છે, પરંતુ પરમ સુખ નથી મળ્યું - શાશ્વત સુખ નથી મળ્યું. સુખ મળે છે તો ટકતું નથી, ચાલ્યું જાય છે. જેવું જોઈએ તેવું સુખ મળતું નથી. સુખનો આભાસ જ મળે છે. પરિણામ સ્વરૂપે તો દુઃખ જ દુઃખ મળે છે. - વાસ્તવિક સુખ શોધતાં શોધતાં થાકી ગયા. નિરાશ થઈ ગયા. હવે આ સંસારમાં સુખ પામવા માટે ભટકવું નથી. સંસારમાં પરમ સુખ, શાશ્વત્ સુખ મળી ન જ શકે. ક્ષણિક સુખો પાછળ હવે ભટકવું નથી. આવું મનમાં થાય છે ખરું? શું અનાદિ ભૂતકાળમાં કદીય જ્ઞાનવૃષ્ટિથી ગયા છો? નથી ગયા ને? ચાલો આજ લઈ
શાન્તસુધારસ : ભાગ ૧