SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્વી છે, સાધુપુરુષ છે, પરંતુ મનમાં શાન્તિ નથી. હજારો લોકો એમની તપશ્ચયની પ્રશંસા કરે છે, ગુણગાન કરે છે, પરંતુ તે સ્વયં તો અશાન્ત જ છે. જીવનની કેટલીક વિષમતાઓ એમને અશાન્ત બનાવી દે છે, કારણ કે તેઓ તપ તો કરે છે, પરંતુ આત્માને ભાવનાઓથી ભાવિત કરતા નથી. એક મહાત્માને હું જાણતો હતો. તેમનું મૃત્યુ થઈ ગયું, પરંતુ તેમના જીવનકાળમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા હતા. એમનો એક અનન્ય ભક્ત હતો. ૨૫-૩૦ વર્ષથી તેમની ભક્તિ-સેવા કરતો હતો, એમનાં ગુણગાન કરતો હતો, પરંતુ એક દિવસ એવો આવ્યો....ભક્તની કોઈક વાત એ મહાત્માએ નહીં માની અને એ ભક્ત શત્રુ બની બેઠો. જે મહાત્માનાં ગુણગાન ગાતો હતો, તેની હવે નિંદા કરવા લાગ્યો. ચરિત્રહનન કરવા લાગ્યો. પરંતુ તે મહાત્મા નિરાકુલ રહ્યા; તેમનું મન અશાન્ત ન બન્યું. એક શિષ્ય પૂછ્યું: ‘ગુરુદેવ, પેલો આપનો ભક્ત હવે શત્રુ બનીને ઘોર નિંદા કરે છે, તમે એની ખોટી વાતોનું ખંડન કેમ કરતા નથી?” મહાત્માએ હસી કાઢી વાત. જેવી રીતે પ્રશંસા શાશ્વતું નથી હોતી એમ નિંદા પણ શાશ્વતું નથી હોતી. નિંદાપ્રશંસા બંને કર્મજન્ય ભાવો છે. એમાં હર્ષ કે શોક ન કરવો જોઈએ. અજ્ઞાની જીવ જે ભૂલ કરે છે, એવી ભૂલ જ્ઞાનીએ ન કરવી જોઈએ!” મોહનું વિષ ભાવનાઓથી ઊતરી જાય છે. એટલા માટે ભાવનાઓથી ભક્તિ કરવાની છે - આપણા મન અને આપણા આત્માએ. પ્રતિદિન ભાવનાઓનું ચિંતન કરતા રહેવાનું છે. જ્યારે જ્યારે સંસારમાં કોઈ મોહજન્ય વિષમતા પેદા થાય ત્યારે ત્યારે તમે અનુરૂપ ભાવનાનું ચિંતન કરીને મનને સ્વસ્થ રાખી શકો છો. – એક શ્રેષ્ઠીના વિષયમાં ગુરુજનો પાસેથી સાંભળ્યું હતું કે તે પ્રતિદિન જિનવાણી સાંભળવા નિયમિત રીતે નવ વાગ્યે આવતા. નવ વાગે પ્રવચન શરૂ થતું. બે મહિના પછી એ શ્રેષ્ઠી એક દિવસે અડધો કલાક મોડા પડ્યા અને પાછળ બેસી ગયા. પ્રવચનકાર આચાર્યશ્રીએ એમને જોઈ લીધા. પ્રવચન પૂર્ણ થયા પછી જ્યારે શ્રેષ્ઠી ગુરુદેવના ચરણસ્પર્શ કરવા પાસે આવ્યા ત્યારે ગુરુદેવે પૂછયું : “આજે કેમ મોડું થયું?” શ્રેષ્ઠીએ કહ્યું “ગુરુદેવ, એક મહેમાનને વિદાય આપવા ગયો હતો તેથી મોડું થઈ ગયું. તેમણે ખૂબ ગંભીરતાથી આ વાત કરી. ગુરુદેવ વિચારમાં પડી ગયા. એક ભાઈએ ગદ્ગદિત સ્વરમાં કહ્યું: ‘ગુરુદેવ, એમનો એકનો એક મોટો દીકરો, જે દુકાનનો બધો વ્યવહાર ચલાવતો હતો તે રાત્રે અચાનક મૃત્યુ પામ્યો.... સવારે એની સ્મશાનયાત્રા હતી.” ગુરુદેવની આંખો ભરાઈ આવી, પરંતુ શ્રેષ્ઠી સ્વસ્થ રહ્યા. તેમણે પુત્રને પણ | ૨૬ ૨ ૮ પ્રસ્તાવના |
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy