________________
ફર્યો હતો. કેટલાય મંત્રજાપ કર્યા હતા. વાસનાપૂર્તિ કરવા માટેની તીવ્રતાએ એને પાગલ જેવો બનાવી દીધો હતો.
મેં એને પૂછ્યું હતું ઃ ‘તું છોકરો પામવા માટે આટલો વ્યગ્ર અને અશાન્ત શા માટે રહે છે ? તારા ગામમાં, તારા ઘરની પાસે જ તેં એક દુર્ઘટના જોઈ ન હતી ? એ મહાનુભાવને એક જ છોકરો હતો ને ? લાડકોડમાં ડૂબેલો હતો ને ? ગર્ભશ્રીમંત હતો ને ? જેમ જેમ છોકરો મોટો થતો ગયો, તેમ તેમ તે અવિનયી અને ઉદ્ધત બનતો ગયો હતો ને ? માતાપિતાનું અપમાન કરતો હતો ને ?
તે છોકરાએ ભણતર પૂર્ણ ન કર્યું... વ્યસનોનો શિકાર બની બેઠો. પૈસાની ચોરી કરવા લાગ્યો. પિતાનું મૃત્યુ થઈ ગયું. માતાનાં ઘરેણાં વેચી માર્યાં. લગ્ન કર્યાં. ઘરમાંથી ભાગી ગયો. પિતાનું ઘર વેચી માર્યું..... રસ્તે રઝળતો થઈ ગયો. છોકરાએ માતાપિતાને કયું સુખ આપ્યું ? હા, છોકરીઓએ માતાપિતાને પ્રેમ આપ્યો, દુઃખમાં સહાય કરી...’
તે કશું બોલ્યો નહીં. મારી વાત એને ગમી કે નહીં તેની ખબર નથી. વાસનાવિવશ મનુષ્ય હિતકારી જ્ઞાની મનુષ્યોની વાત પ્રાયઃ માની શકતો નથી. તે દુઃખી અને અશાંત જ બની જાય છે. મોહવિષાદનું વિષ તેના મનમાં ફેલાઈ જાય છે. એક દિવસે એના ભાવપ્રાણ નષ્ટ થઈ જાય છે અને દુર્ગતિમાં ચાલ્યો જાય છે. યશ-કીર્તિની વાસના :
મોહવિષાદના વિષનો એક દારુણ વિકાર હોય છે - યશ-કીર્તિનો, માનસન્માનનો. ધનસંપત્તિ હોવા છતાં પણ માન-સન્માન મળતું નથી, તો મનુષ્ય અશાંત રહે છે, બેચેન રહે છે. માન-સન્માન, યશ-કીર્તિ પામવા માટે ઉપાયો શોધતો રહે છે. તે પામવા માટે જે કંઈ સારું-ખોટું કરવું જ પડે છે, તેવું કરવા તે તત્પર થઈ જાય છે. દંભ અને કપટ કરે છે. હિંસા અને ચોરી કરે છે. આમ તો દાન પણ કરે છે અને પરોપકાર પણ કરે છે.
આ બધું કરવાથી જો લોકો પ્રશંસા કરે છે તો તે ખુશ થઈ જાય છે, અભિમાની બની જાય છે. ઘણી વાર બીજાંનું અપમાન પણ કરી બેસે છે અને બધું પ્રાપ્ત કરવા છતાં પણ જો લોકો એની પ્રશંસા ન કરે, તો તે નારાજ થઈ જાય છે. તેની નિંદા કરનારાઓ પ્રત્યે નારાજ અને રોષાયમાન થઈ જાય છે. તે લોકોની ખૂબ ટીકા કરે છે. આ બધું કરવામાં એનું મન અતિવ્યાકુળ રહે છે. ન મનનું સુખ મળે છે, ન મનની પ્રસન્નતા રહે છે.
યશ-કીર્તિની તીવ્ર ઇચ્છા કરનારા લોકો ‘સત્તા’નું સિંહાસન પામવા પ્રયત્ન કરે છે. વિધાનસભા યા લોકસભામાં જવા ઇચ્છે છે. એટલા માટે તો ચૂંટણી લડે છે.
પ્રસ્તાવના
૨૪